HOME

logo IGS-c
ihndI m=e] g=It== ke: ëîî xl=ek:

Premier Modi of India receiving our
Over 14,702 ***** Star Reviews Chinese Gita!
(Twelfth print in China, Oct 2015-June 2020)
Bhagavad-Gita in China
To read more about the picture above, Click:
https://www.gita-society.com/pdf/china.pdf

Our eBooks  Paperbacks

ગુજરાતી માં ગીતાનાં સંપૂર્ણ ૭૦૦ શ્લોકોનો અર્થ

Buy this in eBook:

www.amazon.com/dp/B08L3THJW5 

English Rendition: Ramananda Prasad, Ph.D.

Gujarati Translation by Kalavati Patel

Editor: Prakruti Pandya

 

 

 

A short Gujarati Gita for Beginners and Children:

http://gita-society.com/shortGujaratiGita.pdf

विषय सूची

‍‌‌અધ્યાય અર્જુનવિષાદયોગ.. 5

સેના નાયકોનો પરિચય  5

અર્જુન દ્વારા યુદ્ધની ઇચ્છાવાળા યોદ્ધાઓને નિરીક્ષણ કરવાની ઈચ્છા       5

અર્જુનનો શોક  6

અર્જુન દ્વારા યુદ્ધ વિરુદ્ધ દોષોનું વર્ણન   6

વિપરીત સમયમાં સશક્ત પણ ભ્રમિત થાય છે   6

અધ્યાય−૨ સાંખ્યયોગ.. 6

અર્જુન દ્વારા યુદ્ધવિરોધી તર્કો સાચવી રાખવા    7

આત્મા અને શરીરના સાચા જ્ઞાન માટે ગીતાના ઉપદેશનો પ્રારંભ    7

આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે   7

મૃત્યુ અને આત્માના પુનર્જન્મની વ્યાખ્યા       7

શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ક્ષત્રિયના કર્તવ્યનો આભાસ કરાવવો    8

કર્મયોગ અથવા નિષ્કામ સેવાનું મહત્    8

વેદોના વિષય ભૌતિક અને આધ્યાત્મિક જીવનની બે બાજુઓ હોય છે   8

કર્મયોગના સિદ્ધાંત અને વ્યવહાર  8

આત્મજ્ઞાનીનાં લક્ષણ   9

અનિયંત્રિત ઇંદ્રિયોના દુષ્પરિણામ   9

અધ્યાય−૩ કર્મયોગ.. 10

અન્યની સેવા શા માટે?  10

પરસ્પર સહયોગ એ વિધાતાનો પ્રથમ સંકેત   10

નેતાએ પોતે ઉદાહરણ બનવું જરૂરી   10

બધાં જ કર્મો પ્રકૃતિ કરે છે. 11

પૂર્ણતાના માર્ગમાં બે અડચણો     11

કામ પાપનું મૂળ છે   11

કામ ઉપર વિજય કેવી રીતે મળે   11

અધ્યાય−૪ જ્ઞાનકર્મસંન્યાસયોગ.. 11

કર્મયોગ પુરાતન વિસ્મૃત સિદ્ધાંત છે   11

પ્રભુના અવતારનો ઉદ્દેશ   12

પ્રાર્થના અને ભક્તિનો માર્ગ   12

સકામ, નિષ્કામ અને નિષિદ્ધ કર્મ   12

કર્મયોગીને કર્મબંધન નથી    12

યજ્ઞના જુદા જુદા પ્રકાર  13

જ્ઞાનયોગ ઉત્તમ આધ્યાત્મિક અભ્યાસ છે. 13

જ્ઞાનયોગની કર્મયોગીને સ્વપ્રાપ્તિ      13

જ્ઞાનયોગ અને કર્મયોગ બંને મોક્ષ માટે જરૂરી   13

અધ્યાય−૫ કર્મસંન્યાસયોગ.. 13

બંને માર્ગ પરમાત્મા તરફ લઈ જાય છે   14

આત્મજ્ઞાનનો માર્ગ   14

આત્મજ્ઞાનીના બીજાં લક્ષણો     14

ત્રીજો માર્ગ − ભક્તિમયધ્યાનયોગ   15

અધ્યાય−૬ આત્મસંયમયોગ.. 15

કર્મયોગી પણ સંન્યાસી છે   15

યોગ અને યોગીની ઓળખ    15

ધ્યાનના પ્રકાર  15

યોગી કોણ?  16

ચંચળ મનને નિયંત્રિત કરવાના બે ઉપાય  16

અસફળ યોગીની ગતિ    16

સૌથી ઉત્તમ યોગી કોણ?  17

અધ્યાય−૭ જ્ઞાનવિજ્ઞાનયોગ.. 17

પ્રકૃતિ, પુરુષ અને આત્માની ઓળખ    17

પરમાત્મા બધી વસ્તુઓનો આધાર  17

પ્રભુની શોધ કોને હોય?  17

ભક્તિના કોઇપણ ઇચ્છિત રૂપની મૂર્તિમાં પ્રભુનું દર્શન સંભવ   18

અધ્યાય−૮ અક્ષરબ્રહ્મયોગ.. 18

બ્રહ્મ, આત્મા, જીવાત્મા અને કર્મની ઓળખ    18

પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મ   18

પ્રભુપ્રાપ્તિનો સહેલો માર્ગ   18

મૃત્યુકાળમાં પ્રભુધ્યાનથી મોક્ષ−પ્રાપ્તિ      18

સૃષ્ટિમાં બધું જ આવર્તીત છે   19

સંસારથી દૂર જવાના બે પ્રમુખ માર્ગ   19

આત્મજ્ઞાનથી મુક્તિ      19

અધ્યાય−૯ રાજવિદ્યારાજગુહ્યયોગ.. 19

બ્રહ્મનું તત્ત્વજ્ઞાન ઘણું જ રહસ્યમય છે   19

સૃષ્ટિની ૨ચના અને પ્રલયનો સિદ્ધાંત   20

જ્ઞાની અને અજ્ઞાનીઓના માર્ગ   20

બધું જ પરમાત્માનો વિસ્તાર છે   20

અનન્ય પ્રેમ−ભક્તિથી મોક્ષપ્રાપ્તિ      20

કોઇ અક્ષમ્ય પાપી નથી    20

ભક્તિમાર્ગ બીજા માર્ગો કરતાં સરળ   21

અધ્યાય−૧૦ વિભૂતિયોગ.. 21

પરમાત્મા બધી વસ્તુનું મૂળ છે   21

પ્રભુ ભક્તોને જ્ઞાન આપે છે   21

બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ કોઇ જાણતું નથી    21

સંપૂર્ણ સૃષ્ટિ પરબ્રહ્મનો વિસ્તાર છે   21

દૈવી વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન   22

સૃષ્ટિ પરબ્રહ્મનો લઘુતમ અંશ માત્ર   22

અધ્યાય−૧૧ વિરાટરૂપદર્શનયોગ.. 22

પ્રભુદર્શન ભક્તનો પરમ ધ્યેય  22

શ્રીકૃષ્ણે અર્જુનને વિરાટ વિશ્વરૂપનું દર્શન કરાવ્યું    23

પ્રભુદર્શન માટે બધા યોગ્ય નથી, નથી બધા દી્રક્ષિત   23

વિરાટ વિશ્વરૂપ દર્શનથી અર્જુનને ભય  23

આપણે બધા દૈવી નિમિત્ત માત્ર   24

અર્જુન દ્વારા વિશ્વરૂપની વંદના    24

પ્રભુના સાકાર રૂપનું દર્શન સંભવ છે   25

ભક્તિ દ્વારા પ્રભુદર્શન   25

અધ્યાય−૧૨ ભક્તિયોગ.. 25

સાકારની ઉપાસના કરે કે નિરાકાર બની?  25

સાકારની ઉપાસનાનાં કારણ   25

ઈશ્વરપ્રાપ્તિના ચાર માર્ગ   26

કર્મયોગનો સરળ અને ઉત્તમ માર્ગ   26

ભક્તનાં લક્ષણ   26

વ્યક્તિ નિષ્ઠાથી દૈવી ગુણ મેળવવા પ્રયત્ન કરે  26

અધ્યાય−૧૩ ક્ષેત્ર−ક્ષેત્રજ્ઞવિભાગયોગ.. 26

સૃષ્ટિ−સિદ્ધાંત   26

નિર્વાણ સાધન માટે ચતુર્વિધિ આર્ષ સત્ય    26

દ્રષ્ટાંત કથા દ્વારા જ પ્રભુનું વર્ણન સંભવ   27

પુરુષ, પ્રકૃતિ, આત્મા અને પરમાત્માનું વર્ણન   27

વિશ્વાસ જ મોક્ષનો માર્ગ   27

બ્રહ્મનાં લક્ષણ   28

અધ્યાય−૧૪ ગુણત્રયવિભાગયોગ.. 28

પુરુષ−પ્રકૃતિના સંયોગથી સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ    28

પ્રકૃતિના ત્રણ ગુણોનાં લક્ષણ   28

ત્રિગુણ જ આત્માનો પુનર્જન્મનો વાહક છે   28

ગુણાતીત હોય તેને મોક્ષ   29

ગુણાતીત થવાની પ્રક્રિયા    29

અનન્ય ભક્તિ દ્વારા ગુણ−બંધનોને કાપવા સંભવ   29

અધ્યાય−૧૫ પુરુષોત્તમયોગ.. 29

મોહ−વૃક્ષને કાપવું અને પ્રભુશરણથી મોક્ષપ્રાપ્તિ કેવી રીતે?  29

જીવાત્મા ભોગી છે   29

બ્રહ્મ સર્વ વસ્તુઓનો સાર છે   30

ક્ષર, અક્ષર અને અક્ષરાતીત શું છે?  30

અધ્યાય−૧૬ દૈવાસુરસંપ્રદ્વિભાગયોગ.. 30

મોક્ષ માટે અર્જિત (કમાયેલું) પ્રમુખ દૈવી ગુણોની સૂચિ (યાદી)  30

આધ્યાત્મિક યાત્રાની પહેલાં ત્યાજ્ય (ત્યજવા યોગ્ય) આસુરી ગુણોની યાદી    30

ફક્ત બે પ્રકારના માનવ − જ્ઞાની અને અજ્ઞાની    30

અજ્ઞાનનું ફળ છે દુ:ખ    31

કામ−ક્રોધ−લોભ નરકના ત્રણ દ્વાર  31

શાસ્ત્રીય વિધાનનું પાલન અનિવાર્ય  31

અધ્યાય−૧૭ શ્રદ્ધાત્રયવિભાગયોગ.. 31

આસ્થા (શ્રદ્ધા)ના ત્રણ પ્રકાર  31

ભોજનના ત્રણ પ્રકાર  32

યજ્ઞના ત્રણ પ્રકાર  32

વિચાર, વાણી અને કર્મના તપ   32

તપના ત્રણ પ્રકાર  32

બ્રહ્મનાં ત્રણ નામ   32

અધ્યાય−૧૮ મોક્ષસંન્યાસયોગ.. 33

સંન્યાસ અને ત્યાગની પરિભાષા    33

ત્યાગના ત્રણ પ્રકાર  33

કર્મના પાંચ કારણ   33

જ્ઞાનના ત્રણ પ્રકાર  33

કર્તાના ત્રણ પ્રકાર  34

બુદ્ધિના ત્રણ પ્રકાર  34

સંકલ્પના ત્રણ પ્રકાર અને માનવજીવનના ચાર લક્ષ્ય    34

આનંદના ત્રણ પ્રકાર  34

વ્યક્તિની યોગ્યતાને અનુસાર શ્રમનું વિભાજન છે   34

કર્તવ્ય, સાધના અને ભક્તિથી મોક્ષની પ્રાપ્તિ      34

કર્મબંધન અને સ્વતંત્ર ઇચ્છાશક્તિ      35

સમર્પણ પ્રભુપ્રાપ્તિનો પરમ માર્ગ   35

પરમાત્માની પરમસેવા તથા સર્વોત્તમ દાન   35

ગીતાનો મહિમા    36

સંતુલન જીવન માટે આત્મજ્ઞાન અને કર્મયોગ બન્નેની જરૂરિયાત   36

 

 

ગુજરાતીમાં ગીતાનાં સંપૂર્ણ ૭૦૦ શ્લોકોનો અર્થ

 

શ્રી ગણેશાય નમ: ‌‍

વસુદેવ સુત દેવ કંસ ચાણર મર્દનમ્

દેવકી પરમાનન્ કૃષ્ણન્દે જગદ્ ગુરુ

મૂકં કરોતિ વાચાલં ,પઙ્ગું લઙ્ઘયતે ગિરિમ્

યત્કૃપા તમહં વન્દે પરમાનન્માધવ

 

‍‌‌અધ્યાય અર્જુનવિષાદયોગ

ધૃતરાષ્ટ્ર કહે છે હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં ભેગા થયેલા યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? (૧.૦૧) સંજય કહે છે પાંડવોની સેનાની વ્યૂહરચના જોઈ રાજા દુર્યોધને ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું : હે આચાર્ય! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહરચનામાં ગોઠવાયેલી પાંડુના પુત્રોની આ મોટી સેનાને જુઓ. (૧.૦૨−૦૩) આ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર મહાધનુર્ધારીઓ, મહારથી યુયુધાન, વિરાટ, દ્રુપદ, પરાક્રમી ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, પુરુષશ્રેષ્ઠ પુરુજિત, કુંતિભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અને દ્રૌપદીના પુત્રો વગેરે મહારથીઓ ઊભા છે. (૧.૦૪−૦૬)

સેના નાયકોનો પરિચય

હે દ્વિજોત્તમ! હવે આપણા પણ જે શ્રેષ્ઠ યોદ્ધાઓ છે તે વિશે આપ સાંભળો. આપણા સૈન્યના જે નાયકો છે તેમને હું તમારી જાણ માટે કહું છું. આપ સ્વયં તથા ભીષ્મપિતામહ, કર્ણ તથા યુદ્ધમાં જય પામનાર કૃપાચાર્ય, મહારથી અશ્વત્થામા, વિકર્ણ, સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્રથ અને બીજા ઘણા શૂરવીરો મારા માટે આ યુદ્ધભૂમિમાં જીવન સમર્પણ કરનાર છે; તેઓ બધા અનેક પ્રકારનાં શસ્ત્રો તથા હથિયારોવાળા અને નિપુણ (યુદ્ધકુશળ) છે. (૧.૦૭−૦૯) ભીષ્મપિતામહ વડે રક્ષાયેલું આપણું સૈન્ય સર્વ પ્રકારે (અસીમ અને) અખૂટ છે, અને ભીમ વડે રક્ષાયેલું એમનું આ સૈન્ય સીમિત−મર્યાદિત છે. (૧.૧૦) હવે અત્યારે બનાવેલા વ્યૂહના સર્વ પ્રવેશમાર્ગોમાં વિભાગ પ્રમાણે ઊભા રહી તમે બધાય ભીષ્મપિતામહનું જ સર્વ તરફથી રક્ષણ કરો (તત્પર રહો). (૧.૧૧) દુર્યોધનના વચન સાંભળીને કૌરવોમાં વૃદ્ધ મહાપ્રતાપી ભીષ્મપિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવવા મોટી સિંહગર્જના કરીને પોતાના દિવ્ય શંખનો પ્રચંડ ઘોષ કર્યો. (૧.૧૨) તે સાથે જ શંખ, મૃદંગ, ઢોલ તથા રણશિંગાં એકસાથે વાગવા લાગ્યાં આથી ત્યાં ઘણો મોટો અવાજ થયો. (૧.૧૩) ત્યાર પછી શ્વેત ઘોડા જોડેલા ઉત્તમ મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પણ પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા. (૧.૧૪) શ્રીકૃષ્ણે પોતાનો દિવ્ય પાંચજન્ય શંખ, અર્જુને દેવદત્ત શંખ અને ઉગ્રકર્મ કરનાર ભીમે પૌંડ્ર શંખ વગાડ્યો. (૧.૧૫) કુંતીપુત્ર મહારાજ યુધિષ્ઠિરે અનંતવિજય શંખ, નકુળે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક નામનો શંખ વગાડ્યો. (૧.૧૬) તેમ હે રાજન્! મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા સાત્યકિ અને હે પૃથ્વીપતિ! દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ અભિમન્યુએ પોતાના જુદા જુદા શંખો વગાડ્યા. (૧.૧૭−૧૮) આકાશ અને પૃથ્વીને ગજાવતા તે ભયાનક કોલાહલે કૌરવોનાં હૃદયોને ભયથી ચીરી નાખ્યાં. (૧.૧૯)

અર્જુન દ્વારા યુદ્ધની ઇચ્છાવાળા યોદ્ધાઓને નિરીક્ષણ કરવાની ઈચ્છા

અર્જુન કહે છે હે અચ્યુત! મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો; એટલે યુદ્ધ કરવા ઇચ્છતા સામે પક્ષે ઊભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે, આ રણભૂમિમાં મારે કોની કોની સાથે લડવાનું છે! દુર્બુદ્ધિ(વાળા) દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવા ઇચ્છતા જેઓ અહીં આવ્યા છે, તે યોદ્ધાઓને હું સારી રીતે જોઈ લઉં. (૧.૨૪−૨૫) અર્જુને બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા તથા સ્વજનોને જોયા. ત્યાં ઊભેલા તે સર્વ બાંધવોને સારી રીતે જોઈ, અર્જુનના મનમાં ખેદ ઉત્પન્ન થયો. અર્જુન અત્યંત કરુણાથી શોક વ્યક્ત કરે છે. (૧.૨૬−૨૭)

અર્જુનનો શોક

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! યુદ્ધ કરવા ઇચ્છતા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલાં થતાં જાય છે, મુખ સુકાઈ રહ્યું છે, શરીરમાં કંપ થાય છે. (૧.૨૮−૨૯) મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, મારો દેહ બળે છે, હું ઊભો રહી શકતો નથી ને મારું મન જાણે ભમે છે. (૧.૩૦) વળી હે કેશવ! મને વિપરીત ચિન્હો દેખાય છે. યુદ્ધમાં સ્વજનોને મારીને હું કોઈ કલ્યાણ જોતો નથી. (૧.૩૧) હે શ્રીકૃષ્ણ! આ રીતે વિજય, રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી. હે ગોવિંદ! અમારે (આવા) રાજ્યનો શો અર્થ? આવા ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન? (૧.૩૨) જેઓ માટે અમારે રાજ્ય અને સુખો ઇચ્છનીય છે, તેઓ તો પોતાના પ્રાણ તથા ધનનો મોહ ત્યજીને યુદ્ધ માટે ઊભા છે. (૧.૩૩) અહીં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામાહો, મામા, સસરા, પુત્રો, સાળા અને બીજા સંબંધીઓ પણ છે. (૧.૩૪) તેઓ મને મારે અથવા ત્રણે લોકના રાજ્ય માટે પણ હું તેમને મારવા ઈચ્છતો નથી, તો હે મધુસૂદન! પૃથ્વી માટે તેમને શા માટે મારું! (૧.૩૫) હે જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રોને અમે મારીએ તે યોગ્ય નથી; કેમ કે અમે સ્વજનોને મારીને કેવી રીતે સુખી રહેવાના? (૧.૩૭) લોભને વશ (થવાથી) જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા આ કૌરવકુળના નાશથી થનારા દોષને અને મિત્રદ્રોહના પાપ વિશે વિચારતા નથી. (૧.૩૮) પણ હે જનાર્દન! કુળના નાશથી થનારા દોષને જોતાં અમારે આ પાપ શા માટે આચરવું જોઈએ? (૧.૩૯)

અર્જુન દ્વારા યુદ્ધ વિરુદ્ધ દોષોનું વર્ણન

કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે અને કુળધર્મો નાશ પામતાં આખું કુળ અધર્મમાં દબાઈ જાય છે. (૧.૪૦) હે કૃષ્ણ! અધર્મના લીધે કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય! સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. (૧.૪૧) વર્ણસંકર પ્રજા કુળનો ઘાત કરે છે અને આથી કુળ નરકમાં જાય છે; કેમ કે જેઓની પિંડ અને તર્પણક્રિયા નાશ પામી હોય, તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે. (૧.૪૨) કુળઘાતીઓના આ વર્ણસંકર થવાના દોષોથી સનાતન જાતિધર્મો તથા કુળધર્મો નાશ પામે છે. (૧.૪૩) હે જનાર્દન! જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળ્યું છે. (૧.૪૪)

વિપરીત સમયમાં સશક્ત પણ ભ્રમિત થાય છે

અહો! કેટલા ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ, કારણ કે રાજ્યસુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ. (૧.૪૫) એના કરતાં શસ્ત્રરહિત અને સામનો નહીં કરતા મને, શસ્ત્રધારી કૌરવો, રણમાં જો મારો વધ કરે તેમાં તો મારું વધુ કલ્યાણ થશે. (૧.૪૬) સંજય કહે છે એમ કહી રણભૂમિમાં શોકથી વ્યાકુળ બનેલા મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્ય ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો. (૧.૪૭)

ૐ તત્સદિતિ પ્રથમોધ્યાય:

 

અધ્યાય−૨ સાંખ્યયોગ

સંજય કહે છે આ રીતે કરુણાથી ઘેરાયેલા, આંસુ ભરેલા, વ્યાકુળ નેત્રોવાળા, શોક કરતા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણએ આ મુજબ કહ્યું. (૨.૦૧) શ્રીભગવાન કહે છે હે અર્જુન, આ વિષમ અવસર પર તને આ કાયરતા કેવી રીતે પ્રાપ્ત થઇ? આ શ્રેષ્ઠ મનુષ્યોના આચરણથી વિરુદ્ધ છે તથા આ ન તો સ્વર્ગ પ્રાપ્ત કરવાનું સાધન છે અને ન કીર્તિ આપનાર છે. (૨.૦૨) આથી હે અર્જુન, તું કાયર ન બન. આ તને શોભતું નથી. હે શત્રુઓને મારનાર અર્જુન, તું તારા મનની આ દુર્બળતા ત્યજીને યુદ્ધ કર. (૨.૦૩)

અર્જુન દ્વારા યુદ્ધવિરોધી તર્કો સાચવી રાખવા

અર્જુન કહે છે હે મધુસૂદન! હું આ રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણની વિરુદ્ધ બાણોથી કેમ યુદ્ધ કરું? હે અરિસૂદન! તેઓ બંને પૂજનીય છે. (૨.૦૪) આ મહાનુભાવ ગુરુજનને મારવા કરતા આ લોકમાં ભિક્ષાનું અન્ન ખાવું સારું, કારણ કે ગુરુજનોને મારીને આ લોકમાં એમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપી ભોગોને જ ભોગવીશ. (૨.૦૫) અને અમે એ પણ નથી જાણતા કે અમારે માટે (યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાં) કયું કામ સારું છે, અને એ પણ નથી જાણતાં કે અમે જીતીશું કે તેઓ જીતશે. જેને મારીને અમે જીવવા પણ નથી ઇચ્છતા, તે જ ધૃતરાષ્ટ્ર્રના પુત્રો અમારી સામે ઊભા છે. (૨.૦૬) એટલે કરુણાપૂર્ણ અને કર્તવ્યના માર્ગથી ભ્રમિત, હું તમને પૂછું છું કે મારે માટે જે નિશ્ચય કલ્યાણકારી છે તેને તમો કૃપા કરીને કહો. હું આપનો શિષ્ય છું. શરણમાં આવેલો મને તમો શિક્ષા (ઉપદેશ) આપો. (૨.૦૭) પૃથ્વી પર નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય અને દેવતાઓનું સ્વામિત્વ મળે તો પણ હું એવું કંઈ નથી જોતો, જેથી અમારી ઇંદ્રિયોને સુકાવનારા શોકને ટાળી શકે. (૨.૦૮) સંજય કહે છે હે રાજન્, નિદ્રાને જીતનાર અર્જુન, અંતર્યામી શ્રીકૃષ્ણ ભગવાનને, "હું યુદ્ધ નહીં કરું" તેમ કહી ચૂપ થઇ ગયો. (૨.૦૯) હે ભરતવંશી (ધૃતરાષ્ટ્ર)! બંને સેનાઓની વચમાં શોક કરતાં અર્જુનને અંતર્યામી શ્રીકૃષ્ણ હસતાં હસતાં આ વચન કહે છે. (૨.૧૦)

આત્મા અને શરીરના સાચા જ્ઞાન માટે ગીતાના ઉપદેશનો પ્રારંભ

(મહત્ત્વપૂર્ણ શ્લોકો હાઇલાઇટ કરવામાં આવ્યા છે)

શ્રીભગવાન કહે છે હે અર્જુન! તું જ્ઞાનીઓની જેમ વાત કરે છે, પરંતુ જેને માટે શોક નહીં કરવો જોઈએ તેને માટે શોક કરે છે. જ્ઞાની મૃત કે જીવિત, કોઈપણ માટે શોક કરતા નથી. (૨.૧૧) એવું નથી કે હું કોઈપણ સમયે ન હતો, અથવા તું ન હતો કે આ રાજાઓ ન હતા અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. (૨.૧૨) જેમ આ જીવનમાં જીવાત્મા બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે, તેમજ જીવાત્મા મૃત્યુ પછી બીજું શરીર પ્રાપ્ત કરે છે. આથી ધીર મનુષ્યએ મૃત્યુથી ગભરાવું ન જોઇએ. (૨.૧૩) હે અર્જુન, ઇંદ્રિયોના વિષયોના સંયોગને કારણે થતી ઠંડી−ગરમી અને સુખ−દુ:ખ ક્ષણભંગુર અને અનિત્ય છે. માટે હે અર્જુન, તું તેઓને સહન કર. (૨.૧૪) હે પુરુષશ્રેષ્ઠ, દુ:ખ અને સુખમાં સમાન ભાવથી રહેવાવાળા જે ધીર મનુષ્યને ઇંદ્રિયોના વિષય વ્યાકુળ નથી કરી શકતાં, તે મોક્ષનો અધિકારી થાય છે. (૨.૧૫)

આત્મા નિત્ય છે, શરીર અનિત્ય છે

અસત્ વસ્તુનો ભાવ (વાસ્તવિકતા) નથી અને સત્ વસ્તુનો અભાવ નથી. તત્ત્વદર્શી મનુષ્ય (અસત્ અને સત્) બંનેને તત્ત્વથી જાણે છે. (૨.૧૬) એ અવિનાશીનો નાશ કરવા કોઈ પણ સમર્થ નથી. (૨.૧૭) આ અવિનાશી, અસીમ અને નિત્ય જીવાત્માના આ બધા શરીર નાશવંત કહેવાયાં છે. માટે હે ભારત, તું યુદ્ધ કર. (૨.૧૮) જે આ આત્માને મારનાર અથવા મરાયેલા માને છે, તેઓ બંને નથી સમજતાં; કેમ કે આત્મા ન કોઇને મારે છે અને ન કોઇથી મરાય છે. (૨.૧૯) આત્મા કદી જન્મતો નથી અને મરતો નથી. આત્માનું હોવું અથવા ન હોવું એવું નથી હોતું. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરનો નાશ થવાથી એનો નાશ નથી થતો. (૨.૨૦) હે પાર્થ, જે મનુષ્ય આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય જાણે છે, તે કેવી રીતે કોને મરાવશે અને કેવી રીતે કોઇને મારશે? (૨.૨૧)

મૃત્યુ અને આત્માના પુનર્જન્મની વ્યાખ્યા

જેમ મનુષ્ય પોતાના જૂનાં વસ્ત્રોને ઉતારી બીજા નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમજ જીવ મૃત્યુ પછી પોતના જૂના શરીરનો ત્યાગ કરી નવું શરીર પ્રાપ્ત કરે છે. (૨.૨૨) શસ્ત્ર આ આત્માને છેદી નથી શકતો, અગ્નિ બાળી નથી શકતો, પાણી ભીંજવી નથી શકતું અને પવન એને સૂકવી નથી શકતો, કારણ કે આત્માને છેદવો અશક્ય, બાળવો અશક્ય, ભીંજવવો અશક્ય અને સૂકવવો અશક્ય છે. આત્મા નિત્ય, સર્વગત, સ્થિર, અચળ અને સનાતન છે. (૨.૨૩−૨૪) આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને નિર્વિકાર કહેવાય છે માટે આત્માને એવો જાણીને તારે શોક ન કરવો જોઇએ. (૨.૨૫) હે મહાબાહો, જો તું શરીરમાં રહેવાવાળા જીવાત્માને નિત્ય જન્મનારો અને મરનારો માને, તો પણ તારે શોક ન કરવો જોઇએ; કારણ કે જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનો જન્મ નિશ્ચિત છે. માટે જે અટલ છે, તેના વિષયમાં તારે શોક ન કરવો જોઇએ. (૨.૨૬−૨૭) હે અર્જુન, બધાં પ્રાણી જન્મ પહેલાં અપ્રકટ હોય છે અને મૃત્યુ પછી પણ અપ્રકટ થઈ જશે, કેવળ (જન્મ અને મૃત્યુની) વચમાં પ્રકટ દેખાય છે. પછી એમાં શોક કરવાની શું આવશ્યકતા છે. (૨.૨૮) કોઈ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, કોઈ એનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, કોઈ એને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ એની બાબતમાં સાંભળીને પણ નથી સમજતા. (૨.૨૯) હે અર્જુન, બધાના શરીરમાં રહેવાવાળો આ આત્મા અવધ્ય છે, તેથી કોઈપણ પ્રાણી માટે તારે શોક ન કરવો જોઈએ. (૨.૩૦)

શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને ક્ષત્રિયના કર્તવ્યનો આભાસ કરાવવો

તારા સ્વધર્મની દ્રષ્ટિએ પણ તારે તારા કર્તવ્યથી વિચલિત ન થવું જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું બીજું કોઈ કલ્યાણકારી કામ નથી. (૨.૩૧) હે પૃથાનંદન, આમ અનાયાસે પ્રાપ્ત થયેલું યુદ્ધ, સ્વર્ગના ખુલ્લા દ્વાર જેવું છે, જે સૌભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે. (૨.૩૨) છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે, તો પોતાનો સ્વધર્મ અને કીર્તિને ખોઈ પાપને પામીશ. (૨.૩૩) તથા બધા લોકો લાંબા સમય સુધી તારી અપકીર્તિની ચર્ચા કરશે. સન્માનિત વ્યક્તિને માટે અપમાન મૃત્યુથી પણ અધિક છે. (૨.૩૪) મહારથી લોકો તને યુદ્ધથી ડરીને ભાગી ગયેલા માનશે. જેને માટે તું બહુ જ માનનીય છે તેની દૃષ્ટિએ તું નીચો પડી જશે. (૨.૩૫) તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતા, તારી ઘણી જ બુરાઈ કરશે. તારા માટે આના કરતાં વધારે દુ:ખદાયી શું હોઇ શકે? (૨.૩૬) યુદ્ધમાં મરવાથી તું સ્વર્ગ જશે અથવા વિજયી થઈ પૃથ્વીનું રાજ્ય ભોગવીશ; એટલે હે કૌંતેય, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. (૨.૩૭) સુખ−દુ:ખ, લાભ−હાનિ અને જીત−હારની ચિંતા ન કરી મનુષ્યને પોતાની શક્તિની અનુસાર કર્તવ્ય−કર્મ કરવું જોઈએ. એવા ભાવથી કર્મ કરવાથી મનુષ્યને પાપ (એટલે કે કર્મબંધન) નહીં લાગે. (૨.૩૮)

કર્મયોગ અથવા નિષ્કામ સેવાનું મહત્

હે પાર્થ, મેં સાંખ્યમતનું આ જ્ઞાન તને કહ્યું, હવે કર્મયોગ વિશે સાંભળ, જે જ્ઞાનથી યુક્ત થઈ, તું કર્મબંધનથી મુક્ત થશે. (૨.૩૯) કર્મયોગનો આરંભ અથવા બીજનો નાશ નહીં થાય તથા વિરુદ્ધ ફળ પણ નહીં મળે. આ નિષ્કામ કર્મયોગરૂપી ધર્મનો થોડો જ અભ્યાસ પણ (જન્મ−મરણરૂપી) મહાન ભયથી રક્ષા કરે છે. (૨.૪૦) હે અર્જુન, કર્મયોગી કેવળ ઈશ્વર પ્રાપ્તિનો દૃઢ નિશ્ચય કરે છે; પરંતુ સકામ મનુષ્યની ઇચ્છાઓ અનેક અને અનંત હોય છે. (૨.૪૧)

વેદોના વિષય ભૌતિક અને આધ્યાત્મિક જીવનની બે બાજુઓ હોય છે

હે પાર્થ, સકામી અવિવેકીજન, જે વેદને યથાર્થ સ્વરૂપે નહીં સમજવાને કારણે એવું સમજે છે કે વેદમાં ભોગો સિવાય બીજું કશું છે જ નહીં, તે કામનાઓથી યુક્ત, સ્વર્ગને શ્રેષ્ઠ માનનાવાળા, ભોગ અને ધનને પ્રાપ્ત કરવાવાળા, અનેક ધાર્મિક સંસ્કારોને બતાવે છે, જે પુનર્જન્મરૂપી કર્મફળને દેનારી હોય છે. (૨.૪૨−૪૩) ભોગ અને ઐશ્વર્યે જેનાં ચિત્ત હરી લીધાં છે, એવી વ્યક્તિના અંત:કરણમાં ભગવતપ્રાપ્તિના દૃઢ નિશ્ચય નથી હોતા અને તે પરમાત્માનું ધ્યાન નથી કરી શકતાં. (૨.૪૪) હે અર્જુન, વેદો (ના કર્મકાંડ)ના વિષય પ્રકૃતિનાં ત્રણ ગુણોથી સંબંધિત છે, તું ત્રિગુણાતીત, નિર્દ્વંદ્વ, પરમાત્મામાં સ્થિત, યોગક્ષેમ ન માનનાર તથા આત્મપરાયણ બન. (૨.૪૫) બ્રહ્મને તત્ત્વથી જાણવાવાળાને માટે વેદોની એટલી જ આવશ્યકતા રહે છે, જેટલી મહાન સરોવરને પ્રાપ્ત કર્યા પછી એક નાના જળાશયની. (૨.૪૬)

કર્મયોગના સિદ્ધાંત અને વ્યવહાર

ફક્ત કર્મ કરવાનું જ મનુષ્યના વશમાં છે, કર્મફળમાં નથી. એટલા માટે તું કર્મફળની આસક્તિમાં ન ફસાઈશ તથા પોતાના કર્મનો ત્યાગ પણ ન કર. (૨.૪૭) હે ધનંજય, પરમાત્માનું ધ્યાન અને ચિંતનમાં સ્થિર થઈ, બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કર, તથા સફળતા અને અસફળતામાં સમાન થઈ, પોતાના કર્તવ્યકર્મોનું સારી રીતે પાલન કર. મનના સમત્વ ભાવમાં રહેવું જ યોગ કહેવાય. (૨.૪૮) કર્મયોગથી સકામ કર્મ અત્યંત તુચ્છ છે; એટલે હે અર્જુન, તું કર્મયોગી બન, કારણ કે ફળની ઇચ્છા રાખવાવાળાને (અસફળતાનો ભય તથા) દુ:ખ થાય છે. (૨.૪૯) કર્મફળની આસક્તિ ત્યાગ કરીને કર્મ કરવાવાળા નિષ્કામ કર્મયોગી, આ જીવનમાં પાપ અને પુણ્યથી મુક્ત થઈ જાય છે. એટલે તું નિષ્કામ કર્મયોગી બન. (ફળની આસક્તિમાં અસફળતાનો ભય હોય છે. એટલા માટે કર્મ સારી રીતે થતાં નથી.) નિષ્કામ કર્મયોગને કુશળતાપૂર્વક કર્મ કર્યું કહેવાય. (૨.૫૦) જ્ઞાની કર્મફળની આસક્તિને ત્યાગવાને કારણ જન્મ−મરણના બંધનથી મુક્ત થઈ જાય છે તથા પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. (૨.૫૧) જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને પાર કરી જશે તે વખતે તું શાસ્ત્રમાંથી સાંભળેલા તથા સાંભળવા યોગ્ય વસ્તુઓથી પણ વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. (૨.૫૨) જ્યારે અનેક પ્રકારના પ્રવચનોને સાંભળવાથી વિચલિત થયેલી તારી બુદ્ધિ પરમાત્મા સ્વરૂપમાં નિશ્ચલરૂપે સ્થિર થઈ જશે, તે વખતે તું સમાધિમાં પરમાત્મા સાથે યુક્ત થઈ જશે. (૨.૫૩) અર્જુન કહે છે હે કેશવ! સમાધિ પ્રાપ્ત, સ્થિર બુદ્ધિવાળા અથવા સ્થિતપ્રજ્ઞ મનુષ્યોના કેવાં લક્ષણ છે? સ્થિર બુદ્ધિવાળા મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? (૨.૫૪)

આત્મજ્ઞાનીનાં લક્ષણ

શ્રીભગવાન કહે છે હે પાર્થ! જે વખતે સાધક પોતાના મનની સંપૂર્ણ કામનાઓને પૂર્ણરૂપે ત્યાગ કરે છે અને આત્મામાં જ આત્માનંદથી સંતુષ્ટ રહે છે તે વખતે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (૨.૫૫) દુ:ખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય, સુખની જેને આકાંક્ષા ન થાય તથા જેના મનમાં રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા હોય, એવા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. (૨.૫૬) જેને કોઈપણ વસ્તુમાં આસક્તિ ન હોય, શુભને પ્રાપ્ત કરીને પ્રસન્ન ન થાય અને અશુભથી દ્વેષ ન કરે, તેની બુદ્ધિ સ્થિર છે. (૨.૫૭) જેમ કાચબો સર્વ અંગો સમેટી લે છે, તેવી જ રીતે જ્યારે સાધક બધી બાજુથી પોતાની ઇંદ્રિયોને વિષયોથી આવી રીતે સમેટી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર સમજવી જોઈએ. (૨.૫૮) ઇંદ્રિયોને વિષયોમાંથી હટાવવાવાળા મનુષ્યોથી વિષયોની ઇચ્છા તો દૂર થઈ જાય છે, પરંતુ વિષયોની આસક્તિ દૂર નથી થતી. પરમાત્માના સ્વરૂપને (તારાતમ્ય વિદ્યા દ્વારા) સારી રીતે સમજી સ્થિતપ્રજ્ઞ મનુષ્ય (વિષયોની) આસક્તિથી પણ દૂર થઈ જાય છે. (૨.૫૯)

અનિયંત્રિત ઇંદ્રિયોના દુષ્પરિણામ

હે કુંતીનંદન, સંયમનો પ્રયત્ન કરતાં જ્ઞાની મનુષ્યના મનને પણ ચંચળ ઇંદ્રિયો બળપૂર્વક હરી લે છે. (૨.૬૦) એટલા માટે સાધક પોતાની સંપૂર્ણ ઇંદ્રિયોને વશમાં રાખીને મારામાં શ્રદ્ધાપૂર્વક ધ્યાનમાં બેસે; કારણ કે જેની ઇંદ્રિયો વશમાં હોય છે, તેની બુદ્ધિ સ્થિર હોય છે. (૨.૬૧) વિષયોનું ચિંતન કરવાથી વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી (વિષયોને સેવન કરવાથી) ઇચ્છા ઉત્પન્ન થાય છે અને ઈચ્છા (પૂરી ન થવા)થી ક્રોધ ઉત્પન્ન થાય છે. (૨.૬૨) ક્રોધથી સંમોહ એટલે અવિવેક ઉત્પન્ન થાય છે. સંમોહથી મન ભ્રષ્ટ થાય છે. મન ભ્રષ્ટ થવાથી બુદ્ધિ નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થાય છે. (૨.૬૩) રાગ અને દ્વેષથી રહિત સંયમી સાધક પોતાની વશમાં રાખેલી ઇંદ્રિયો દ્વારા વિષયોને ભોગવવા છતાં શાંતિ પ્રાપ્ત કરે છે. (૨.૬૪) શાંતિથી બધા દુ:ખોનો અંત આવે છે અને શાંત ચિત્ત મનુષ્યની બુદ્ધિ શીઘ્ર (તરત) જ સ્થિર થઈ પરમાત્મામાં યુક્ત થઈ જાય છે. (૨.૬૫) (ઈશ્વરથી) અયુક્ત મનુષ્યના અંત:કરણમાં ન ઈશ્વરનું જ્ઞાન થાય, ન ઈશ્વરની ભાવના થાય, ભાવનાહીન મનુષ્યને શાંતિ નથી મળતી અને અશાંત મનુષ્યને સુખ ક્યાંથી હોય? (૨.૬૬) જેમ પાણીમાં તરતી નાવને તોફાન એના લક્ષ્યથી દૂર ધકેલે છે તેવી રીતે ઇંદ્રિયસુખ મનુષ્યની બુદ્ધિને ખોટા માર્ગે લઈ જાય છે. (૨.૬૭) માટે હે અર્જુન, જેની ઇંદ્રિયો સર્વ પ્રકારે વિષયોમાંથી નીકળીને વશમાં થયેલી છે, તેની બુદ્ધિ સ્થિર રહે છે. (૨.૬૮) બધાં પ્રાણીઓ માટે જે રાત્રિ છે તેમાં સંયમી મનુષ્ય જાગતો રહે છે અને જ્યારે સાધારણ મનુષ્ય જાગે છે ત્યારે તત્ત્વદર્શી મુનિને માટે એ રાત્રિ સમાન હોય છે. (૨.૬૯) જેમ બધી નદીઓનાં પાણી સમુદ્રને વિચલિત ન કરતાં પરિપૂર્ણ સમુદ્રમાં સમાઈ જાય છે, તેવી રીતે બધા ભોગ જે સંયમી મનુષ્યમાં વિકાર ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે, તે મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે, નહીં કે ભોગોની કામના કરવાવાળા. (૨.૭૦) જે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજી ઇચ્છારહિત, મમતારહિત તથા અહંકારરહિત બની વિચરણ કરે છે, તે શાંતિ પ્રાપ્ત કરે છે. (૨.૭૧) હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે, જેને પ્રાપ્ત કરીને પછી મનુષ્ય મોહિત નથી થતો. અંત સમયમાં પણ આ નિષ્ઠામાં સ્થિત થઈ મનુષ્ય બ્રહ્મનિર્વાણ પ્રાપ્ત કરે છે. (૨.૭૨)

ૐ તત્સદિતિ દ્વિતીયોધ્યાય:

 

અધ્યાય−૩ કર્મયોગ

અર્જુન કહે − હે જનાર્દન! નિષ્કામ કર્મ કરતાં જ્ઞાનને જો તમે વધારે ઉત્તમ માનતા હો, તો હે કેશવ! તમે મને આવાં ઘોર કર્મમાં કેમ જોડો છો? (૩.૦૧) આપ આવાં અટપટાં વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખી દો છો તેવું મને લાગે છે. તો બે માંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો જેથી હું શ્રેયને પ્રાપ્ત થાઉં. (૩.૦૨) શ્રીભગવાન કહે છે હે નિષ્પાપ! આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની, એમ બે પ્રકારની કર્તવ્ય તત્પરતા મેં પહેલાં કહી છે. (૩.૦૩) મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી નિષ્કામ ભાવને પામતો નથી; તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પણ પામતો નથી. (૩.૦૪) ખરેખર કોઈપણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી; કારણ કે પ્રકૃતિના ગુણોથી પરવશ સર્વ પ્રાણીઓને કર્મ તો કરવાં જ પડે છે. (૩.૦૫) જે મૂઢપુરુષ કર્મેન્દ્રિયોને રોકીને મન વડે ઇંદ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે ઢોંગી કહેવાય છે. (૩.૦૬)

અન્યની સેવા શા માટે?

ખરેખર હે અર્જુન! મન વડે ઇંદ્રિયોને નિયમમાં કરીને ફળમાં આસક્તિ રાખ્યા વગર જે કર્મેન્દ્રિયો વડે નિષ્કામ કર્મયોગનો આરંભ કરે છે, તે અતિશ્રેષ્ઠ બને છે. (૩.૦૭) તું ઇંદ્રિયોને નિયમમાં રાખી નિયત કર્મ કર; કેમ કે કર્મ ન કરવા કરતાં નિષ્કામ કર્મ કરવાં વધારે શ્રેષ્ઠ છે; અને કર્મ નહીં કરવાથી તારો શરીરનિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. (૩.૦૮) હે કૌંતેય! યજ્ઞ માટેના કર્મ સિવાય ફક્ત પોતાના માટે કર્મ કરવાથી મનુષ્ય કર્મબંધનમાં બંધાઈ જાય છે; માટે ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. (૩.૦૯)

પરસ્પર સહયોગ એ વિધાતાનો પ્રથમ સંકેત

કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાઓનું સર્જન કરીને બ્રહ્માએ કહ્યું હતું : "આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. એ તમારી ઇચ્છિત કામનાઓ આપનાર થાઓ." (૩.૧૦) "આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરશે. એકબીજાને સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણ પામશો." (૩.૧૧) "કેમ કે યજ્ઞ વડે પૂજાયેલા દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. તેમણે આપેલા ભોગો તેમણે સમર્પિત નહીં કરીને જે પોતે જ ભોગવે છે, તે ચોર જ છે." (૩.૧૨) યજ્ઞથી વધેલું ભોજન લેનારા સત્પુરુષો સર્વ પાપથી મુક્ત થાય છે; પરંતુ જે પાપીઓ પોતાના માટે જ રાંધે છે, તેઓ પાપ જ ખાય છે એમ સમજવું. (૩.૧૩) અન્નથી પ્રાણીઓ પોષાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. (૩.૧૪) કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે; માટે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં સ્થિત રહેલા છે એમ તું સારી રીતે સમજી લે. (૩.૧૫) હે પાર્થ! એમ આ લોકમાં ચાલી રહેલા ચક્રને જે અનુસરતો નથી, તે પાપી જીવનવાળો તથા ઇંદ્રિયોમાં રમમાણ રહેનારો વ્યર્થ જ પોતાનું જીવન જીવે છે. (૩.૧૬) પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતોષી રહે છે, તેને કશું કરવાનું રહેતું નથી. (૩.૧૭) તે બ્રહ્મવેદને આ સંસારમાં કરેલાં કે નહીં કરેલાં કર્મથી કોઈ સ્વાર્થ કે સ્પૃહા હોતાં નથી; તેમ જ તેનો સર્વ પ્રાણીઓમાં કોઇની પણ સાથે સ્વાર્થ સંબંધ હોતો નથી. (૩.૧૮) માટે કર્મ આસક્ત થયા વિના તું નિરંતર તારા માટે યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કર; કેમ કે આસક્તિરહિત થઈ કર્મ કરતો પુરુષ અવશ્ય પરમપદને પામે છે. (૩.૧૯)

નેતાએ પોતે ઉદાહરણ બનવું જરૂરી

કેમ કે જનક વગેરે મહાત્મા કર્મ વડે જ પરમ સિદ્ધિને પામ્યા છે; વળી લોકસંગ્રહ માટે પણ તારે કર્મ કરવાં જ જોઈએ. (૩.૨૦) કેમ કે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે, તે અનુસાર લોકો પોતાનું વર્તન કરે છે અને તેને અનુસરે છે. (૩.૨૧) હે પાર્થ! મારે ત્રણ લોકમાં કોઈપણ કર્મ કરવાનું નથી કે કશું મેળવવાનું નથી; છતાં હું સતત કર્મ કરતો રહું છું. (૩.૨૨) હે પાર્થ! કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે. (૩.૨૩) એથી જો હું કર્મ ન કરું તો લોકો પણ અકર્મી બને. આથી આ લોકો નાશ પામે અને હું વર્ણસંકરનો કર્તા થાઉં. વળી આ પ્રજાઓનો પણ નાશ થાય. (૩.૨૪) હે ભારત! કર્મમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે, તેમ આ લોકોને ટકાવવા ઇચ્છતા વિદ્વાન પુરુષે પણ અનાસક્ત થઈ કર્મ કરવું આવશ્યક છે. (૩.૨૫) વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અવિવેકીઓની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન ન કરવો, પણ પોતે જ્ઞાનયુક્ત છતાં સારી રીતે અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવાં. (૩.૨૬)

બધાં જ કર્મો પ્રકૃતિ કરે છે.

સર્વ પ્રકારે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે છતાં અહંકારથી મૂઢ થયેલા અંત:કરણવાળો મનુષ્ય "હું કર્તા છું" એમ માને છે. (૩.૨૭) હે મહાબાહો! ગુણવિભાગને અને કર્મવિભાગના તત્ત્વને જાણનારો પુરુષ તો "સર્વ ગુણો, ગુણોમાં વર્તે છે" એમ માની તેમાં જરાય આસક્ત થતો નથી. (૩.૨૮) પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો દેહાદિ ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે; પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણજ્ઞાની પુરુષે ચલિત ન કરવાં જોઈએ. (૩.૨૯) વિવેકી ચિત્ત વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી ફળની ઇચ્છા રાખ્યા વિના, મમતા વિના તથા શોકરહિત થઈ તું યુદ્ધ કર. (૩.૩૦) જે મનુષ્યો મારા આ નિત્યમતને દ્વેષબુદ્ધિથી રહિત થઈને પૂર્ણ શ્રદ્ધાથી આચરે છે, તેઓ પણ કર્મના બંધનથી અવશ્ય મુક્ત થાય છે. (૩.૩૧) પરંતુ જેઓ અસૂયા કરનારા મારા આ મત પ્રમાણે વર્તતા નથી, તે મૂર્ખાઓને તો તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ. (૩.૩૨) જ્ઞાની પણ પોતાના સ્વભાવ અનુસાર કર્મો કરે છે. બધા પ્રાણીઓ સ્વભાવને અનુસરે છે; એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકે? (૩.૩૩)

પૂર્ણતાના માર્ગમાં બે અડચણો

પ્રત્યેક ઇંદ્રિયને તેના વિષયમાં રાગ−દ્વેષ અવશ્ય રહેલાં છે. તે રાગ−દ્વેષને કદી વશ ન થવું, કારણ કે તે રાગ−દ્વેષ જ મનુષ્યના કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનારા મહાશત્રુઓ છે. (૩.૩૪) બીજાનો ધર્મ આચારવો સરળ હોય અને પોતાનો ધર્મ ગુણ વગરનો હોય તો પણ પોતાનો ધર્મ જ વધુ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતાં મૃત્યુ આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે માટે સ્વધર્મ જ આચરવો. (૩.૩૫)

કામ પાપનું મૂળ છે

અર્જુન કહે છે તો પછી હે કેશવ! મનુષ્ય પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ બળપૂર્વક કોઈ કામમાં જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? (૩.૩૬) શ્રીભગવાન કહે છે રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. એ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન તૃપ્ત થનારો મહાપાપી છે. આ સંસારમાં આને તું મહાશત્રુ જાણ. (૩.૩૭) જેમ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે, મેલથી આરસી ઢંકાઈ જાય છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ મહાશત્રુ કામ વડે મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે. (૩.૩૮) હે કૌંતેય! કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામરૂપ અગ્નિ મનુષ્યનો નિત્યનો વેરી છે. જ્ઞાનીનું વિવેકજ્ઞાન એનાથી જ ઢંકાઈ જાય છે. (૩.૩૯) જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્રયસ્થાન કહેવાય છે. આ કામરૂપી મહાશત્રુ જ્ઞાનને ઢાંકી દઈ શરીરધારીઓને મોહિત બનાવે છે. (૩.૪૦) હે ભરતશ્રેષ્ઠ! તેથી તું પ્રથમ ઇંદ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ પાપી કામનો તરત જ ત્યાગ કર. (૩.૪૧)

કામ ઉપર વિજય કેવી રીતે મળે

શરીરથી આ ઇંદ્રિયોને પર કહે છે, ઇંદ્રિયોથી શ્રેષ્ઠ આપણું મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી જે પર અને મહાન છે તે આત્મા છે. (૩.૪૨) હે મહાબાહો! એમ આત્માને બુદ્ધિથી પર જાણી, બુદ્ધિ વડે મનને વશ કરી અર્થાત્ આત્માને આત્મા વડે નિયમમાં કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત જ નાશ કર. (૩.૪૩)

ૐ તત્સદિતિ તૃતીયોધ્યાય:

 

અધ્યાય−૪ જ્ઞાનકર્મસંન્યાસયોગ

 

કર્મયોગ પુરાતન વિસ્મૃત સિદ્ધાંત છે

શ્રીભગવાન કહે છે આ અવિનાશી જ્ઞાનયોગ મેં પૂર્વે સૂર્યને કહ્યો હતો, સૂર્યે મનુને કહ્યો હતો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. (૪.૦૧) હે પરંતપ! એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. પરંતુ તે આત્મોદ્ધારક યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. (૪.૦૨) તે જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ પરમ ગતિ આપનારું ઉત્તમ રહસ્ય છે. વળી તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે. (૪.૦૩) અર્જુન કહે છે આપનો જન્મ હમણાંનો છે, અને સૂર્યનો જન્મ પુરાતન પહેલાંનો છે; તો આપે આ યોગ પૂર્વે સૂર્યને કહ્યો એમ હું શી રીતે સમજું? (૪.૦૪)

પ્રભુના અવતારનો ઉદ્દેશ

શ્રીભગવાન કહે છે હે અર્જુન! મારા અને તારા આ સિવાય ઘણા જન્મો થઈ ગયા છે. તે બધા હું જાણું છું. હે પરંતપ! તું નથી જાણતો. (૪.૦૫) હું અજન્મા, અવિનાશી અને સર્વભૂતોનો ઈશ્વર છું; છતાં પોતાની પ્રકૃતિનો આશ્રય કરી પોતાની માયા વડે આ લોકમાં જન્મ ધારણ કરું છું. (૪.૦૬) હે ભારત! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધી જાય છે, ત્યારે હું પૃથ્વી પર અવતાર ધારણ કરું છું. (૪.૦૭) સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રકટ થાઉં છું. (૪.૦૮) હે અર્જુન! આમ મારા અલૌકિક જન્મ તથા દિવ્યકર્મને જે તત્ત્વથી સમજે છે, તે દેહ ત્યજીને પુનર્જન્મ પામતો નથી, પણ મને પ્રાપ્ત કરે છે. (૪.૦૯) રાગ, ભય તથા ક્રોધરહિત, મારામાં લીન બનેલા, મારો આશ્રય કરનારા અને જ્ઞાનરૂપ તપ વડે પવિત્ર થયેલા ઘણા લોકો મારું સ્વરૂપ પામ્યા છે. (૪.૧૦)

પ્રાર્થના અને ભક્તિનો માર્ગ

જેઓ જે પ્રકારે મારા શરણે આવી, મને ભજે છે, તેમને તે જ પ્રકારે હું ભજું છું અર્થાત્ મારામાં સ્થિત કરું છું. હે પાર્થ! મનુષ્યો સર્વ પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે. (૪.૧૧) આ લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા મનુષ્યો દેવતાઓને પૂજે છે; કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન્ન થનારા ફળની સિદ્ધિ તત્કાલ થાય છે. (૪.૧૨) ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યુ છે; તેનો કર્તા હું છું છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. (૪.૧૩) મને કર્મો સ્પર્શ કરતાં નથી; કેમ કે મને કર્મફળની ઈચ્છા નથી; એ રીતે જે મને જાણે છે, તે કર્મો વડે બંધન પામતો નથી. (૪.૧૪) પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે, માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલાં કર્મોને જ કર. (૪.૧૫)

સકામ, નિષ્કામ અને નિષિદ્ધ કર્મ

કર્મ શું અને અકર્મ શું એનો નિર્ણય કરવામાં વિદ્વાનો પણ મોહિત થયા છે. તે કર્મ વિશે હવે હું તને બરાબર સમજાવીશ તેને જાણવાથી તું અશુભથી મુક્ત થઈશ એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઇ જઈશ. (૪.૧૬) કર્મનું સ્વરૂપ જાણવું જોઈએ, અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમ કે કર્મની ગતિ ગહન છે. (૪.૧૭)

કર્મયોગીને કર્મબંધન નથી

કર્મમાં અકર્મને અર્થાત્ કર્મના અભાવને અને અકર્મમાં કર્મને જે જુએ છે, તે મનુષ્ય બુદ્ધિમાન છે; તે યોગયુક્ત છે અને સર્વ કર્મ કરનારો છે. (૪.૧૮) જેના સર્વ આરંભેલા કર્મો કામનાઓથી અને સંકલ્પોથી રહિત હોય તથા જેનાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળીને નષ્ટ થઈ ગયાં હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૪.૧૯) કર્મફળની આસક્તિ છોડીને નિત્ય સંતુષ્ટ રહેનારો, આશ્રય અને આકાંક્ષારહિત મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ જ કરતો નથી. (૪.૨૦) જે તૃષ્ણારહિત છે, મન અને શરીરને વશ રાખનારો છે, જેણે સર્વ સંગ્રહમાત્ર છોડી દીધા છે, તે શરીરનિર્વાહ માટે જ કર્મો કરે છતાં પાપથી જરાય લોપાતો નથી. (૪.૨૧) અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો, સુખદુ:ખાદિ સંઘર્ષથી મુક્ત, ઈર્ષારહિત તથા સિદ્ધિ−અસિદ્ધિમાં સમભાવવાળો મનુષ્ય કર્મ કરીને પણ તેનાથી બંધાતો નથી. (૪.૨૨) ફળની ઈચ્છા વિનાના, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળા તથા યજ્ઞ માટે કર્મ કરનારા મનુષ્યનાં સર્વ કર્મ નાશ પામે છે. (૪.૨૩) હોમવાની ક્રિયા બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ કર્તાએ હોમેલું તે પણ બ્રહ્મ જ છે, આમ કર્મને લગતી બધી બાબતોમાં જે બ્રહ્મભાવ સ્થિર રહે છે તે બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. (૪.૨૪)

યજ્ઞના જુદા જુદા પ્રકાર

બીજા કર્મયોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક તત્ત્વવેત્તાયોગીઓ બ્રહ્માગ્નિમાં આત્માને જ્ઞાનથી હોમે છે. (૪.૨૫) કેટલાક મુમુક્ષુ કાન વગેરે ઇંદ્રિયોને સંયમરૂપી અગ્નિમાં હોમે છે અને કેટલાક શબ્દાદિ વિષયોને ઇંદ્રિયોરૂપ અગ્નિમાં હોમે છે. (૪.૨૬) વળી કેટલાક ઇંદ્રિયોનાં સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રજ્વલિત થયેલા આત્મસંયમરૂપ યોગાગ્નિમાં હોમે છે. (૪.૨૭) તેમ જ કેટલાક પ્રયત્નશીલ યોગીઓ દાનયજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા, યોગયજ્ઞ કરનારા અને સ્વાધ્યાયયજ્ઞ કરનારા તથા જ્ઞાનયજ્ઞ કરનારા દૃઢ વ્રતધારી હોય છે. (૪.૨૮) કેટલાક યોગીઓ અપાનવાયુમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનવાયુને હોમે છે અને કેટલાક પ્રાણ તથા અપાનની ગતિ રોકી પ્રાણાયામમાં સદા તત્પર રહેનારા હોય છે. (૪.૨૯) કેટલાક યોગીઓ આહારને નિયમમાં કરી પોતાના પ્રાણોને પોતાના પ્રાણોમાં જ હોમે છે. આ બધાય યજ્ઞને જાણનારા જ્ઞાનીઓ યજ્ઞ વડે પાપનો નાશ કરી પાપરહિત થાય છે. (૪.૩૦) યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે. હે કુરુશ્રેષ્ઠ! યજ્ઞનું અનુષ્ઠાન ન કરનારને આ લોક મળતો નથી, તો પરલોક તો ક્યાંથી મળે? (૪.૩૧) આ પ્રમાણે વેદમાં અનેક પ્રકારના યજ્ઞો વિસ્તારથી કહેવામાં આવ્યા છે. તે સર્વ યજ્ઞોને તું ફળની ઈચ્છાને લીધે થતાં કર્મોથી ઉત્પન્ન થનારા જાણ. એ પ્રમાણે જાણવાથી તું વિવેક બુદ્ધિ દ્વારા કર્મનાં બંધનથી અવશ્ય મુક્ત થઈશ. (૪.૩૨)

જ્ઞાનયોગ ઉત્તમ આધ્યાત્મિક અભ્યાસ છે.

હે પરંતપ! દ્રવ્યાદિથી થનારા યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે; કેમ કે હે પાર્થ! સર્વ સંપૂર્ણ કર્મો નિ:શેષ થઈને જ્ઞાનમાં સમાઈ જાય છે. (૪.૩૩) તે જ્ઞાનનો ઉપદેશ તને તત્ત્વદર્શી જ્ઞાનીઓ આપશે. તેમને દંડવત્ પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તે વિશે તું જાણી લે. (૪.૩૪) હે પાંડવ! એ જાણીને તું પછી ફરી આ રીતે મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વભૂતોને તું પહેલાં પોતાનામાં અને પછી મારામાં સ્થિત જોઈશ. (૪.૩૫) જો તું સર્વ પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ, તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે સર્વ પાપરૂપી સમુદ્રને તરી જઈશ. (૪.૩૬) હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ સર્વ લાકડાંને બાળીને ભસ્મ બનાવી દે છે, તેમ જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે. (૪.૩૭)

જ્ઞાનયોગની કર્મયોગીને સ્વપ્રાપ્તિ

આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કશું જ નથી. તે જ્ઞાનના યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરીને આપોઆપ જ પોતાનામાં વિરામ પામે છે અર્થાત્ મોક્ષ પામે છે. (૪.૩૮) શ્રદ્ધાવાન, ગુરુસેવામાં તત્પર અને જિતેન્દ્રિય પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત મોક્ષરૂપ પરમ શાંતિને પામે છે. (૪.૩૯) પરંતુ આત્મજ્ઞાનરહિત તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમય રહી, એ જ્ઞાન મેળવી શકતો નથી અને નાશ પામે છે. તેવા મનુષ્ય માટે આ લોક કે પરલોકમા ક્યાંય સુખ નથી. (૪.૪૦)

જ્ઞાનયોગ અને કર્મયોગ બંને મોક્ષ માટે જરૂરી

હે ધનંજય! યોગ દ્વારા જેણે સર્વ કર્મોનો ત્યાગ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો વિરામ પામ્યા હોય, એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મોનું બંધન હોતું નથી. (૪.૪૧) માટે હે ભરતવંશી! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ આત્મવિષયક સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે કાપી નિષ્કામ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. (૪.૪૨)

ૐ તત્સદિતિ ચતુર્થોધ્યાય:

 

અધ્યાય−૫ કર્મસંન્યાસયોગ

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! આપ કર્મના સંન્યાસની અને બીજી તરફ કર્મના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી ગમે તે એક મારે માટે કલ્યાણકારક હોય તે જ નિશ્ચિત કરીને કહો. (૫.૦૧) શ્રીભગવાન કહે છે કર્મસંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારાં છે; પણ તે બંનેમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગ વધારે ઉત્તમ છે. (૫.૦૨) હે મહાબાહો! જે કોઈનો પણ દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી, તેને સદા સંન્યાસી જાણવો; કેમ કે રાગદ્વેષના દ્વંદ્વથી નિવૃત્ત થયેલો મનુષ્ય અનાયાસે સંસારથી મુક્ત થઈ જાય છે. (૫.૦૩)

બંને માર્ગ પરમાત્મા તરફ લઈ જાય છે

સંન્યાસ અને કર્મયોગ અર્થાત્ જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમ અવિચારીઓ કહે છે, વિદ્વાનો કહેતા નથી; કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે. (૫.૦૪) જ્ઞાનીઓ જે પરમપદને પ્રાપ્ત કરે છે તે જ પરમપદ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ અર્થાત્ સરખા માને છે તે જ બરાબર છે. (૫.૦૫) પરંતુ હે મહાબાહો! કર્મયોગના અનુષ્ઠાન વિના સંન્યાસયોગ પ્રાપ્ત કરવો અતિ કઠિન છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ તરત જ પરબ્રહ્મને પામે છે. (૫.૦૬) જે જિતેન્દ્રિય મનને વશમાં રાખનારો અને શુદ્ધ અંત:કરણવાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીમાત્રના આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મનુષ્ય કર્મ કરવા છતાં પણ તેનાથી લિપ્ત થતો નથી. એવો કર્મયોગયુક્ત તત્ત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, જાગે, શ્વાસ લે, બોલે, ત્યાગ કરે, કંઈ ગ્રહણ કરે, આંખો ઉઘાડે કે મીંચે તો પણ "ઇંદ્રિયો પોત−પોતાના વિષયોમાં વર્તે છે" એમ સમજી "હું કાંઈ કરતો નથી" એવું માને છે. (૫.૦૮−૦૯) જે મનુષ્ય ફળની આસક્તિ ત્યજીને બધાં કર્મો પરમાત્માને અર્પણ કરે છે, તે પાણીમાં સ્થિત કમળના પાનની જેમ પાપથી લોપાતો નથી. (૫.૧૦) કર્મયોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇંદ્રિયોથી, આસક્તિને ત્યજીને કેવળ ઇંદ્રિયોથી અંત:કરણની શુદ્ધિ માટે જ સર્વ કર્મો કરે છે. (૫.૧૧) કર્મયોગી કર્મફળની કામના ત્યજીને અર્થાત્ પરમેશ્વરને અર્પણ કરીને પરમશાંતિને પામે છે અને યોગરહિત પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધનમાં પડે છે. (૫.૧૨)

આત્મજ્ઞાનનો માર્ગ

શરીરને વશ કરનાર પુરુષ મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને નવ દ્વારોવાળી આ દેહરૂપી નગરીમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોઈ સુખપૂર્વક રહે છે. (૫.૧૩) ઈશ્વર પ્રાણીઓના કર્તાપણાને ઉત્પન્ન કરતો નથી, કર્મનું કે કર્મના ફળનું સર્જન કરતો નથી; પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિમાતા જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. (૫.૧૪) પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય સ્વીકારતા નથી; અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે. (૫.૧૫) પરંતુ જેમનું તે અજ્ઞાન તત્ત્વજ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. (૫.૧૬) પરમાત્મામાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના દેહની સ્થિતિ તન્મય છે, જેઓ પરમભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મમરણના બંધનથી મુક્ત થઈ જાય છે. (૫.૧૭)

આત્મજ્ઞાનીના બીજાં લક્ષણો

તેવા મુક્ત વિદ્યાવિનયયુક્ત જ્ઞાનીઓ (સર્વજનમાં દર્શન કરતાં હોવાથી) બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દૃષ્ટિવાળા હોય છે. (૫.૧૮) જેમનું મન આવા સમભાવમાં સ્થિત થયું છે, તેમણે અહીં જ સંસાર જીતી લીધો છે; કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે. (પ.૧૯) પ્રિય મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય મેળવીને ઉદ્વેગ પામતો નથી એવો સ્થિરબુદ્ધિ, સંશયરહિત અને બ્રહ્મને જાણવાવાળો મનુષ્ય પરબ્રહ્મ પરમાત્મામાં હંમેશાં સ્થિર રહે છે. (૫.૨૦) એવા બ્રહ્મરૂપ મનુષ્ય પોતાના અંત:કરણમાં બ્રહ્માનંદને પ્રાપ્ત કરીને ઇંદ્રિયોના વિષયોમાં અનાસક્ત થઈ જાય છે અને અવિનાશી પરમસુખ પ્રાપ્ત કરે છે. (૫.૨૧) ઇંદ્રિયો તથા વિષયોના સ્પર્શથી ઉત્પન્ન થતા જે ભોગો છે, તે જ દુ:ખનું મૂળ કારણ છે અને તે આદિ−અંતવાળા છે. હે અર્જુન! જ્ઞાનીપુરુષ તેમાં આસક્ત થતા નથી. (પ.૨૨) શરીરનો નાશ થાય તે પહેલાં કામ−ક્રોધથી ઉપજતા વેગને સહજતાથી સહેવા માટે જે મનુષ્ય સમર્થ છે, તે પુરુષ યોગી છે અને તે જ સુખી છે. (૫.૨૩) જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને જ્ઞાનના પ્રકાશનો અનુભવ કરે છે, તે બ્રહ્મરૂપ થઇને મોક્ષ પામે છે. (પ.ર૪) જેમના પાપાદિ દોષ નાશ પામ્યા છે, જેમના સંશયો છેદાઈ ગયા છે, જેમનું મન પોતાના વશમાં છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં સદા તત્પર છે, એવા બ્રહ્મવેત્તા મનુષ્ય બ્રહ્મને પામે છે. (૫.૨પ) જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામક્રોધથી મુક્ત થઈ ગયા છે, જેમણે ચિત્તને વશ કર્યું છે, તેવા સંન્યાસીને સહેલાઇથી બ્રહ્મરૂપની પ્રાપ્તિ થાય છે. (૫.૨૬)

ત્રીજો માર્ગ − ભક્તિમયધ્યાનયોગ

બહારના વિષયોને અંત:કરણમાં ચિંત્વયા વગર, આંખોની દૃષ્ટિને બે ભ્રમરની વચ્ચે સ્થિર કરીને, નાકની અંદર ગતિ કરતા પ્રાણ તથા અપાનને સમાન કરીને, જેણે ઇંદ્રિયો, મન અને બુદ્ધિ વશમાં કર્યા છે, તેમ જ જેનાં ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે, એવો મુનિ મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તેને સદા મુક્ત જ માનવો. (૫.૨૭−૨૮) મારો ભક્ત મને બધાં યજ્ઞો અને તપનો ભોક્તા, સંપૂર્ણ લોકોનો મહેશ્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર સમજીને શાંતિને પ્રાપ્ત કરે છે. (૫.૨૯)

ૐ તત્સદિતિ પંચમોધ્યાય:

 

અધ્યાય−૬ આત્મસંયમયોગ

 

કર્મયોગી પણ સંન્યાસી છે

શ્રીભગવાન કહે છે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા ન કરી, કરવા યોગ્ય કર્મ કરે છે, તે સંન્યાસી છે, યોગી છે; પણ અગ્નિરહિત અને કર્તવ્ય−કર્મનો ત્યાગ કરી નિષ્ક્રિય થઇને બેસી રહે છે તે સંન્યાસી કે યોગી કહેવાતો નથી. (૬.૦૧) હે પાંડવ! જેને "સંન્યાસ" કહે છે, તેને તું "યોગ" જાણ; કેમ કે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થઈ શકતો નથી. (૬.૦ર)

યોગ અને યોગીની ઓળખ

નિષ્કામ કર્મયોગ જ સમતાયોગની પ્રાપ્તિનું સાધન છે અને યોગારૂઢ સાધકને માટે સમતાયોગ (અર્થાત્ માનસિક સંતુલન અને આત્મસંયમ) જ ઈશ્વરપ્રાપ્તિનું સાધન છે, જ્યારે મનુષ્ય ઇંદ્રિયોના વિષયો અને કર્મફળમાં આસક્ત નથી થતો ત્યારે દરેક ઈચ્છાઓના ત્યાગ કરવાવાળા (સંતુલિત) મનુષ્યને યોગી કહેવાય છે. (૬.૦૩−૦૪) મન ઉત્તમ મિત્ર અને સૌથી મોટો શત્રુ છે. મનુષ્ય પોતાના મન અને બુદ્ધિ દ્વારા જ પોતે બંધન કે મુક્તિ પામે છે, કેમ કે મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ મનુષ્યનો શત્રુ છે જેણે પોતાના મન ઉપર બુદ્ધિથી વિજય મેળવ્યો છે, તેનું મન તેનું મિત્ર છે, પરંતુ જેની ઇંદ્રિયો વશમાં નથી તેનું મન તેના માટે શત્રુની જેમ વર્તે છે. (૬.૦૫−૦૬) ઠંડી−ગરમી, સુખ−દુ:ખ તથા માન−અપમાનમાં જે મન તથા ઇંદ્રિયોને જીતીને અત્યંત શાંત તથા સમ રહે છે, તેને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. (૬.૦૭) જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો છે, જે વિકારરહિત અને જીતેન્દ્રિય છે તથા માટી, પથ્થર તથા સોનાને સમાન ગણે છે તે યોગી "યોગસિદ્ધ" કહેવાય છે. (૬.૦૮) સુહૃદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુ, સજ્જન અને પાપીઓમાં પણ સમબુદ્ધિ રાખવાવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. (૬.૦૯)

ધ્યાનના પ્રકાર

યોગીએ એકાંતવાસમાં એકલા રહી ચિત્તને તથા દેહને વશ કરી, આશારહિત અને પરિગ્રહરહિત થઇને અંત:કરણને સદા યોગાભ્યાસમાં રત રાખવું. (૬.૧૦) અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વ્યાઘ્રાંબરવાળું પોતાનું સ્થિર આસન પવિત્ર સ્થાનમાં સ્થાપી તે આસન પર બેસી, મનને એકાગ્ર કરી, ચિત્ત તથા ઇંદ્રિયોની ક્રિયાઓને રોકી અંત:કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. (૬.૧૧−૧૨) દેહ, મસ્તક અને ડોકને સમાન તથા અચળ રાખી, સ્થિર થઈ કોઈપણ દિશાઓમાં ન જોતાં, નાસિકાના અગ્રભાગ પર દૃષ્ટિ સ્થિર કરી, અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ, બ્રહ્મચર્યવ્રતમાં રહી, મનને વશ કરી, મારામાં ચિત્ત પરોવી સમાધિમાં બેસવું. (૬.૧૩−૧૪) એમ પોતાના અંત:કરણને નિત્ય યોગમાં જોડતો અને મનને વશ કરનારો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પ્રાપ્ત કરે છે. (૬.૧૫) હે અર્જુન! વધુ ખાનારને કે તદ્દન નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમ જ અતિ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. (૬.૧૬) પણ નિયમથી આહાર−વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ઊંઘનાર−જાગનારને યોગ સાધ્ય બની દુ:ખહારક થાય છે. (૬.૧૭) જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં સ્થિત થાય છે અને સર્વ કામનાઓથી મુક્ત થાય છે, ત્યારે મનુષ્ય યોગારૂઢ કહેવાય છે. (૬.૧૮) જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો હાલતો નથી. તે ઉપમા આત્મનિષ્ઠ યોગીના વશ થયેલા ચિત્તની કહેવામાં આવી છે. (૬.૧૯) જ્યારે ધ્યાનયોગના અભ્યાસથી ચિત્ત શાંત થઈ જાય છે, ત્યારે સાધક બુદ્ધિથી (ધ્યાનથી શુદ્ધ થયેલા મનથી) પરમાત્માના દર્શન કરી પરમાત્મામાં જ રત રહે છે. (૬.૨૦) ઇંદ્રિયોથી પરે અને બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય પરમસુખનો અનુભવ કરીને યોગી પરમાત્માથી ક્યારેય દૂર થતો નથી. (૬.૨૧) પરમાત્માને પ્રાપ્ત કરવાથી સાધકને દુનિયાના બીજા કોઈપણ લાભો વામણા લાગે છે આવી સ્થિતિને પ્રાપ્ત કરનાર યોગી ગમે તેવા મોટા દુ:ખથી પણ વિચલિત (દુ:ખી) થતો નથી. (૬.૨ર) દુ:ખના સંયોગનો વિયોગ એટલે જ યોગ, જેને સમજવો જોઈએ, તેમજ એ ધ્યાનયોગનો અભ્યાસ ઉત્સાહપૂર્વક અને નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. (૬.૨૩) સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને પૂરેપૂરી ત્યજી મન વડે જ ઇંદ્રિયોના સમુદાયને સર્વ તરફથી ધૈર્યપૂવક વશ કરેલી બુદ્ધિથી ધીમે ધીમે વિષયોનો નિગ્રહ કરવો અને ચિત્તને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઇ પણ ચિંતન નહીં કરતાં ધીરે ધીરે સ્થિર બુદ્ધિથી પરમાત્મામાં મન લગાવીને શાંતિ પ્રાપ્ત કરે છે. (૬.૨૪−૨૫) ચંચળ તથા અસ્થિર મન જે જે નિમિત્તથી બહાર ભટકે છે, તે તે નિમિત્તથી તેને રોકી આત્મામાં જ સ્થિત કરવું. (૬.૨૬)

યોગી કોણ?

અતિ શાંત મનવાળા, (કામ, ક્રોધ, લોભ આદિ રજોગુણોથી નિવૃત્ત) પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા યોગીને જ શ્રેષ્ઠ બ્રહ્મસુખ પ્રાપ્ત થાય છે. (૬.૨૭) આ રીતે ચિત્તને સદા સમાધિમાં જોડતો યોગી પાપરહિત થઇ સરળતાથી પરબ્રહ્મના સ્પર્શરૂપ અનંત સુખનો અનુભવ કરે છે. (૬.૨૮) યોગયુક્ત અંત:કરણવાળો, સર્વમાં સમદૃષ્ટિવાળો યોગી બધાં ભૂતોમાં પોતાને અને પોતામાં સર્વ પ્રાણીઓને જુએ છે. (૬.૨૯) જે યોગી મને સર્વત્ર જુએ છે અને બધું મારામાં જુએ છે, તેને હું સદા દૃશ્યરૂપ રહું છું. (૬.૩૦) એકત્વપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે સર્વ પ્રકારે વર્તે, તો પણ મારામાં રહે છે. (૬.૩૧) હે અર્જુન! જે સર્વત્ર પોતાની પેઠે સુખ અથવા દુ:ખને સમાન અનુભવે છે, તે યોગીને મેં શ્રેષ્ઠ ગણ્યો છે. (૬.૩૨)

ચંચળ મનને નિયંત્રિત કરવાના બે ઉપાય

અર્જુન કહે છે હે મધુસૂદન! સમદૃષ્ટિ રાખવારૂપ જે યોગ આપે મને કહ્યો એની સ્થિતિ પામવા મનની ચંચળતાને લીધે હું સરળ માનતો નથી. (૬.૩૩) કેમ કે હે શ્રીકૃષ્ણ! મન અતિ ચંચળ, ક્ષોભ કરનાર, બળવાન અને દૃઢ છે. તેનો વિરોધ કરવો એ વાયુની જેમ હું અતિ કઠિન માનું છું. (૬.૩૪) શ્રીભગવાન કહે છે હે મહાબાહો! ખરેખર, મન ચંચળ અને વશ કરવું કઠિન છે; તો પણ હે કૌંતેય! અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરી શકાય છે. (૬.૩પ) જેણે મન વશ કર્યું નથી, તેને માટે યોગ કઠિન છે, પણ મનને વશ કરનારો અને તે માટે યત્ન કરતો મનુષ્ય તે યોગ પ્રાપ્ત કરી શકે છે, એવું મારું માનવું છે. (૬.૩૬)

અસફળ યોગીની ગતિ

અર્જુન કહે છે હે શ્રીકૃષ્ણ! જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગભ્રષ્ટ થઈ જાય અને એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરી શકે તો તે કઈ ગતિને પ્રાપ્ત કરે છે? (૬.૩૭) હે મહાબાહો! શું તે યોગભ્રષ્ટ થયેલો આશ્રય વિનાનો સાધક બ્રહ્મજ્ઞાનરૂપ માર્ગમાં મૂઢ થઇને છિન્નભિન્ન થયેલા વાદળોની પેઠે નાશ તો નથી પામતો ને? (૬.૩૮) હે શ્રીકૃષ્ણ! મારા આ સંશયનો સંપૂર્ણ નાશ કરવા આપ જ સમર્થ છો, કેમ કે આપ વિના બીજો આ સંશયનો નાશ કરનાર કોઈ મળે તેમ નથી. (૬.૩૯) શ્રીભગવાન કહે છે હે પાર્થ! આ લોકમાં કે પરલોકમાં તેવા યોગીનો કદી વિનાશ થતો નથી; કારણકે હે વહાલા! કલ્યાણ માર્ગનું આચરણ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. (૬.૪૦) તે યોગથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામી, ઘણાં વર્ષો સુધી ત્યાં નિવાસ કરી પછી પવિત્ર સજ્જનોને ઘેર જન્મે છે. (૬.૪૧) અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જ જન્મે છે. ખરેખર, આ લોકમાં આવી જગ્યાએ જન્મ મળવો અતિદુર્લભ છે. (૬.૪ર) હે કુરુનંદન! આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગસાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય જ છે અને ફરીથી યોગસિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. (૬.૪૩) પૂર્વના યોગના અભ્યાસને લીધે તે અવશ્ય યોગસિદ્ધિ તરફ ખેંચાય છે. આ જીજ્ઞાસુ શબ્દબ્રહ્મને ઓળંગી આગળ નીકળી જાય છે. (૬.૪૪) ખંતથી યત્ન કરતાં જેનાં પાપ નાશ પામ્યાં છે તે યોગી અનેક જન્મોની સિદ્ધિથી પરમ ગતિ પામે છે. (૬.૪પ)

સૌથી ઉત્તમ યોગી કોણ?

આવો યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ, પરોક્ષ જ્ઞાનીઓથી પણ અધિક, યજ્ઞાદિ કર્મ કરનારાઓથી પણ અધિક ઉત્તમ મનાયો છે. માટે હે અર્જુન! તું યોગી થા. (૬.૪૬) સર્વ યોગીઓમાં જે મારા પ્રત્યે શ્રદ્ધાવાળો, મારામાં ચિત્ત સ્થિર રાખી અંત:કરણ વડે મને ભજે છે, તેને હું શ્રેષ્ઠ યોગી માનું છું. (૬.૪૭)

ૐ તત્સદિતિ ષષ્ઠોધ્યાય:

 

અધ્યાય−૭ જ્ઞાનવિજ્ઞાનયોગ

શ્રીભગવાન કહે છે હે પાર્થ! મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ, યોગ સાધતાં તું સંશયરહિત થઇને મને સમગ્ર રીતે જાણી શકશે તે વિશે સાંભળ. (૭.૦૧) હું તને બ્રહ્મ અનુભવ (વિજ્ઞાન) સહિત આ સંપૂર્ણ બ્રહ્મવિદ્યા (જ્ઞાન) કહું છું. તેને જાણ્યા પછી આ લોકમાં બીજું જાણવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી. (૭.૦૨) હજારો મનુષ્યોમાં કોઇક જ જ્ઞાન સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરતા સિદ્ધોમાં પણ કોઇ જ મને સત્ય સ્વરૂપે જાણી લે છે. (૭.૦૩)

પ્રકૃતિ, પુરુષ અને આત્માની ઓળખ

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ આઠ પ્રકારના ભેદવાળી મારી આ પ્રકૃતિ છે. (૭.૦૪) આ પ્રકૃતિ અપરા અર્થાત્ જડ છે, પણ હે મહાબાહો! મારી બીજી પરા અર્થાત્ ચેતન (પુરુષ) પ્રકૃતિને જીવરૂપ જાણ, જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે. (૭.૦૫) સર્વભૂતો આ બે પ્રકારની શક્તિ પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થયાં છે એમ તું જાણ અને સમગ્ર જગતની ઉત્ત્પત્તિનું તથા સંહારનું કારણ હું છું. (૭.૦૬)

પરમાત્મા બધી વસ્તુઓનો આધાર

હે ધનંજય! મારાથી અધિક ઉત્તમ બીજું કંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની જેમ આ સર્વ બ્રહ્માંડ મારામાં પરોવાયેલું છે. (૭.૦૭) હે કૌંતેય! જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું; સર્વ વેદોમાં પ્રણવ અર્થાત્ ૐકાર, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પૌરુષત્વ હું છું. વળી, પૃથ્વીમાં પાવક ગંધરૂપે અને અગ્નિમાં તેજરૂપે પણ હું છું. સર્વ પ્રાણીઓમાં જીવનરૂપે અને તપસ્વીઓમાં તપરૂપે હું છું. (૭.૦૮−૦૯) હે પાર્થ! સર્વભૂતોનું સનાતન બીજ ઉત્પત્તિનું કારણ તું મને જાણ. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. હે ભરતશ્રેષ્ઠ! કામ અને રાગ વિનાનું બળવાનોનું સાત્ત્વિક બળ હું છું. બધા પ્રાણીઓમાં રહેલો ધર્મને અનુકૂળ જે કામ (સંતાનની ઉત્પત્તિ માટે) છે તે પણ હું છું. (૭.૧૦−૧૧) વળી જે સાત્ત્વિક, રાજસિક તથા તામસિક ભાવો અને પદાર્થો છે, તેઓ મારાથી જ ઉત્પન્ન થયેલાં છે એમ તું જાણ. તેઓ સર્વ મારા આશ્રિત છે પરંતુ હું તેમના પ્રભાવમાં નથી. (૭.૧૨) આ સર્વ જગત આ ત્રણ પ્રકારથી મોહિત છે માટે તેનાથી વિપરીત − વિલક્ષણ અને વિકારરહિત મને કોઇ જાણી શકતું નથી. (૭.૧૩)

પ્રભુની શોધ કોને હોય?

કેમ કે મારી આ ત્રિગુણમયી દૈવી માયા ઓળંગવી અતિ કઠિન છે. જેઓ મારે શરણે આવે છે, તેઓ મારી કૃપાથી આ માયાને ઓળંગે છે. (૭.૧૪) માયાએ મોહિત કરેલા અજ્ઞાનવાળા, મૂઢ પાપી અને આસુરી ભાવને આશ્રયે રહેનારા અધમ પુરુષો મારે શરણે આવતા નથી. (૭.૧૫) હે ભરતશ્રેષ્ઠ! ચાર પ્રકારના ઉત્તમ કર્મ કરનારા મનુષ્યો − દુ:ખી, પરમાત્માને જાણવાની ઈચ્છાવાળો જિજ્ઞાસુ, ધનઈચ્છુક અને જ્ઞાની મને ભજે છે. (૭.૧૬) સદા મારા ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળો અને મારા પ્રત્યે એકનિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની શ્રેષ્ઠ છે; કેમ કે જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. (૭.૧૭) એ બધા ભક્તો શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ, સર્વમાં ગતિરૂપ મને જ આશ્રય કરી સ્થિર રહે છે. (૭.૧૮) ઘણા જન્મોને અંતે આ બધું "વાસુદેવ જ છે" એવું સમજી તે જ્ઞાનવાળો જ્ઞાની મને પામે છે. તે મહાત્મા અતિ દુર્લભ છે. (૭.૧૯) જે કામનાઓ વડે હરાયેલા જ્ઞાનવાળા અને પોતાની પ્રકૃતિને વશ થયેલા મનુષ્યો તે નિયમનો આશ્રય કરી બીજા દેવતાઓને શરણે જાય છે, એટલે કે તેઓને જ ભજે છે. (૭.૨૦)

ભક્તિના કોઇપણ ઇચ્છિત રૂપની મૂર્તિમાં પ્રભુનું દર્શન સંભવ

જે જે મનુષ્ય જે જે દેવસ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજા−ભક્તિ કરવા ઈચ્છે છે, તે તે ભક્તની તે સ્વરૂપ વિશે હું શ્રદ્ધાને દૃઢ કરું છું. મેં સ્થિર કરેલી તે શ્રદ્ધાથી યુક્ત થઈ, તે તે દેવનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલા ઈચ્છિત ભોગો પામે છે. (૭.૨૧−૨૨) પરંતુ અલ્પ બુદ્ધિવાળાનું તે ફળ વિનાશી હોય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે. (૭.૨૩) અજ્ઞાની મનુષ્ય "હું" પરબ્રહ્મ પરમાત્માના − મન, બુદ્ધિ તથા વાણીથી પરે, પરમ અવિનાશી દિવ્ય સ્વરૂપને નથી જાણતા અને તેથી એવું સમજી લે છે કે હું રૂપ વગરનો નિરાકાર છું અને રૂપ ધારણ કરું છું. (૭.૨૪) યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. તેથી મારી માયાથી મોહિત મૂઢ, અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી. (૭.૨પ) હે અર્જુન! ભૂતકાળમાં થઈ ગયેલા તથા ભવિષ્યકાળમાં થનારા સર્વભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઇ જાણતું નથી. (૭.ર૬) હે ભરતવંશી પરંતપ! ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થતાં રાગદ્વેષાદિ દ્વંદ્વના મોહ વડે સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે. પરંતુ જે પુણ્યકર્મવાળા મનુષ્યોનું પાપ નાશ પામ્યું હોય છે, તેઓ રાગદ્વેષાદિ દ્વંદ્વના મોહથી છૂટી દૃઢ વ્રતવાળા થઈ મને ભજે છે. (૭.૨૮) જેઓ મારો આશ્રય કરી જન્મ અને મરણથી છૂટવા યત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણપણે જાણે છે. (૭.૨૯) જેઓ અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે, તે મારામાં સમત્વ ચિત્તવાળા પુરુષો મરણકાળે પણ મને જાણે છે − મારામાં લીન થાય છે. (૭.૩૦)

ૐ તત્સદિતિ સપ્તમોધ્યાય:

 

અધ્યાય−૮ અક્ષરબ્રહ્મયોગ

અર્જુન કહે છે હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અને અધિદેવ શું કહેવાય છે? તે મને સમજાવો. અધિયજ્ઞ કોણ છે અને તે આ દેહમાં કયા પ્રકારે રહે છે? હે મધુસૂદન! એકાગ્ર ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? (૮.૦૧−૦૨)

બ્રહ્મ, આત્મા, જીવાત્મા અને કર્મની ઓળખ

શ્રીભગવાન કહે છે પરમાત્મા બ્રહ્મ કહેવાય છે. તેનો સ્વભાવ ચૈતન્ય અધ્યાત્મ કહેવાય છે; અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનારી બ્રહ્મની ક્રિયાશક્તિ એ કર્મ કહેવાય છે. (૮.૦૩) નાશવંત પદાર્થ અધિભૂત છે, હિરણ્યગર્ભ પુરુષ અર્થાત્ અક્ષરબ્રહ્મ અધિદેવ છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ હું વાસુદેવ આ દેહમાં અંર્તયામી અધિયજ્ઞ છું. (૮.૦૪)

પુનર્જન્મનો સિદ્ધાંત અને કર્મ

મરણ વખતે મારું સ્મરણ કરતાં કરતાં જે મનુષ્ય શરીર છોડી જાય છે. તે મારા સ્વરૂપને પામે છે, એમાં કોઇ સંશય નથી. (૮.૦૫) હે કૌંતેય! મનુષ્ય અંતકાળે જે જે વસ્તુને યાદ કરતાં શરીર છોડે છે, તે તેને પામે છે; કેમ કે સદા તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે. (૮.૦૬)

પ્રભુપ્રાપ્તિનો સહેલો માર્ગ

માટે સર્વ કાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ (કર્તવ્ય−કર્મ) કર. મારામાં મન−બુદ્ધિ રાખવાથી તું અવશ્ય મને જ પામીશ. (૮.૦૭) હે પાર્થ! અભ્યાસયોગથી યુક્ત અને અન્યત્ર નહીં જનારા ચિત્ત વડે સદા મારું ચિંતન કરતાં મનુષ્ય પરમ દિવ્ય પરબ્રહ્મને પામે છે. (૮.૦૮) સર્વજ્ઞ, પુરાણ, સર્વના નિયંતા, સૂક્ષ્માતિસૂક્ષ્મ, સર્વના ધારક−પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય જેવા તેજસ્વી વર્ણવાળા અને અજ્ઞાનરૂપ અંધકારથી દૂર એવા દિવ્ય પુરુષ પરમેશ્વરનું, જે વારંવાર સ્મરણ કરે છે તે મરણ સમયે ભક્તિ તથા યોગબળથી યુક્ત, અચળ મન વડે બે ભૃકુટિની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે. (૮.૦૯−૧૦) વેદવેત્તાઓ જેને અક્ષર કહે છે, સ્પૃહારહિત મુનિઓ જેમાં પ્રવેશ કરે છે અને જેને ઈચ્છનારા બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે અક્ષરબ્રહ્મને હું તને ટૂંકમાં કહીશ. (૮.૧૧)

મૃત્યુકાળમાં પ્રભુધ્યાનથી મોક્ષ−પ્રાપ્તિ

ઇંદ્રિયરૂપી સર્વ દરવાજાને નિયમમાં રાખી, મનને હૃદયમાં રાખી, પોતાના પ્રાણને મસ્તકમાં ધારણ કરી, યોગધારણામાં રહેલો જે પુરુષ "" એવા એકાક્ષર બ્રહ્મનો જપ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી જાય છે, તે પરમગતિ પામે છે. (૮.૧૨−૧૩) હે અર્જુન! જે બીજામાં ચિત્ત નહીં રાખતો નિત્ય નિરંતર મારું સ્મરણ કરે છે, તે નિત્ય સમાહિત ચિત્તવાળા યોગીને હું સુલભ છું. (૮.૧૪) પરમ મુક્તિને સિદ્ધ મહાત્માઓ પામી દુ:ખના સ્થાનરૂપ અને નાશવંત પુનર્જન્મને પામતા નથી. (૮.૧૫) હે અર્જુન! બ્રહ્મલોક પર્યન્ત જે સર્વ લોક છે તે સર્વ લોકને પામવાથી પણ મનુષ્ય ફરી જન્મ પામે છે; પરંતુ હે કૌંતેય! મને પામીને ફરી જન્મ પામતો નથી. (૮.૧૬)

સૃષ્ટિમાં બધું જ આવર્તીત છે

જે સહસ્ત્ર યુગ (અર્થાત્ ૪.૦૩૨ કરોડ વર્ષ) સુધીનો બ્રહ્માનો જે દિવસ છે અને સહસ્ત્ર યુગ સુધીની જે રાત્રિ છે; તેને જેઓ જાણે છે, તેઓ દિવસ−રાત્રિના પરિણામને જાણનારા છે. (૮.૧૭) બહ્માના દિવસનો આરંભ થતાં બ્રહ્માની સુષુપ્ત અવસ્થામાંથી સર્વભૂતો ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિનો આરંભ થતાં તે જ અવ્યક્ત નામની અવસ્થામાં લય પામે છે. (૮.૧૮) હે પાર્થ! તે જ સર્વભૂતોનો સમૂહ ઉત્પન્ન થઇ બ્રહ્માની રાત્રિ આવતાં પરવશ થઈ લય પામે છે અને બ્રહ્માનો દિવસ આવતાં ફરી ઉત્પન્ન થાય છે. (૮.૧૯) પરંતુ આ અવ્યક્તથી શ્રેષ્ઠ બીજો અવ્યક્ત સનાતન અક્ષર બ્રહ્મરૂપ ભાવ છે, તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતાં નથી. જે અવ્યક્ત "અક્ષર" કહેવાય છે એને જ પરમ ગતિ કહે છે; જેને પામીને જ્ઞાનીઓ સંસારમાં પુનર્જન્મ પામતાં નથી, તે મારું પરમધામ છે. (૮.૨૦−૨૧) હે પાર્થ! જેની અંદર આ સર્વભૂતો રહ્યા છે અને જેના વડે આ સર્વ સૃષ્ટિ વ્યાપ્ત છે, તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૮.૨૨)

સંસારથી દૂર જવાના બે પ્રમુખ માર્ગ

હે ભરતશ્રેષ્ઠ! જે સમયમાં મૃત્યુ પામેલા યોગીઓ પાછા આવતા નથી તથા જે સમયમાં મૃત ફરી જન્મે છે તે કાળ વિશે હું કહું છું. (૮.૨૩) એ બે જાતના માર્ગમાં જ્યોતિર્મય અગ્નિ, પ્રકાશ, દિવસ, શુક્લપક્ષ અને ઉત્તરાયણના (જ્ઞાન) છ મહિનાવાળા માર્ગથી જાય છે તે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. (અને પુન: સંસારમાં પાછાં આવતાં નથી.) (૮.૨૪) ધૂમાડો, રાત્રિ, કૃષ્ણપક્ષ અને દક્ષિણાયનના (અજ્ઞાન) છ મહિનાવાળા માર્ગથી જનારા યોગી સ્વર્ગસુખ ભોગવી પાછાં જન્મે છે. (૮.રપ) કેમ કે જગતની આ શુક્લ (જ્ઞાન) અને કૃષ્ણ (અજ્ઞાન) ગતિઓ નિત્ય છે; એકમાં ગયેલો પાછો આવતો નથી અને બીજામાં ગયેલો ફરી સંસારમાં જન્મે છે. (૮.૨૬)

આત્મજ્ઞાનથી મુક્તિ

હે પાર્થ! બંને માર્ગોને જાણનાર યોગી મોહ પામતો નથી માટે હે અર્જુન! સર્વકાળે યોગયુક્ત થા. (૮.ર૭) આ ગતિઓ વિશે જાણ્યા પછી સર્વ યોગીઓ વેદોમાં, યજ્ઞોમાં, તપમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ શાસ્ત્રમાં કહ્યું છે, તે સર્વને પાર કરી જાય છે અને સનાતન પરમપદને પામે છે. (૮.૨૮)

ૐ તત્સદિતિ અષ્ટમોધ્યાય:

 

અધ્યાય−૯ રાજવિદ્યારાજગુહ્યયોગ

 

બ્રહ્મનું તત્ત્વજ્ઞાન ઘણું જ રહસ્યમય છે

શ્રીભગવાન કહે છે અસૂયા વગરના એવા તને હું આ ગૂઢમાં ગૂઢ વિજ્ઞાનયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અશુભથી મુક્ત થઇશ. (૯.૦૧) આ જ્ઞાન બધી વિદ્યાઓનો અને જ્ઞાનનો રાજ, બધી ગૂઢતાનો રાજા, સૌથી ઉત્તમ, શ્રેષ્ઠ ધર્મમય, સુખદ, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું, મેળવવામાં સરળ અને અક્ષય છે. (૯.૦૨) હે પરંતપ! આ ધર્મમાં જે મનુષ્યો શ્રદ્ધા રાખતા નથી તે મને ન પામતાં મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભટક્યા કરે છે. (૯.૦૩) આ સર્વ જગત પરબ્રહ્મ પરમાત્મા એવા મારી આદિ પ્રકૃતિ અર્થાત્ અક્ષરબ્રહ્મનો વિસ્તાર છે. સર્વભૂતો મારામાં સ્થિત છે, પણ હું તેઓમાં સ્થિત નથી. (૯.૦૪) વળી સર્વભૂતો મારામાં રહેલાં નથી એમ પણ કહેવાય. મારું ઐશ્વર્યયુક્ત યોગબળ તું જો! ભૂતોને ઉત્પન્ન કરનારો તથા ભૂતો ધારણ કરનારો મારો આત્મા ભૂતોમાં સ્થિત નથી. (૯.૦૫) જેમ સર્વત્ર ગતિ કરનારો મહાન વાયુ આકાશમાં નિત્ય રહેલો છે, તેમ સર્વભૂતો મારામાં સ્થિત છે એમ તું જાણ. (૯.૦૬)

સૃષ્ટિની ૨ચના અને પ્રલયનો સિદ્ધાંત

હે કૌંતેય! પ્રલયકાળે સર્વભૂતો સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિમાં લય પામે છે. તેમને હું સૃષ્ટિના આરંભથી ફરી ઉત્પન્ન કરું છું. (૯.૦૭) મારી માયામય પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરવશ એવા ભક્તોના સમૂહને હું વારંવાર સર્જુ છું. (૯.૦૮) હે ધનંજય! વળી તે કર્મોમાં હું આસક્તિરહિત અને ઉદાસીન રહેતો હોવાથી તે કર્મો મને બાંધતા નથી. (૯.૦૯) હે કૌંતેય! મારી અધ્યક્ષતાને લીધે મારી પ્રકૃતિ, જડ−ચેતન સહિત સર્વ જગતને ઉત્પન્ન કરે છે. એથી જગતનો ક્રમ ચાલ્યા કરે છે. (૯.૧૦)

જ્ઞાની અને અજ્ઞાનીઓના માર્ગ

મારા પરમ ભાવને ન જાણનારા અવિવેકી મનુષ્યો જ્યારે હું મનુષ્ય દેહ ધારણ કરું છું ત્યારે મારી અવજ્ઞા કરે છે. આવા મિથ્યા આશાવાળા, મિથ્યા કર્મવાળા, મિથ્યા જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના મનુષ્યો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય કરનારા હોય છે. (૯.૧૧−૧૨) પરંતુ હે પાર્થ! મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂતોના આદિ કારણરૂપ અને અવિનાશી રૂપે જાણીને અનન્ય મનથી મને ભજે છે. (૯.૧૩) મને પામવા માટે યત્ન કરતા તેઓ દૃઢ વ્રત ધારણ કરીને સર્વદા મારું કીર્તન કરતાં અને મને નમન કરતાં સદા સાવધાન મનવાળા રહી મારી ઉપાસના કરે છે. (૯.૧૪) ઘણા સાધકો જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કરી મારી ઉપાસના કરે છે. હું સર્વત્ર રહેલો છું, એવા કેટલાક મનુષ્યો એકત્વપણાથી (અદ્વૈતભાવ) તો કેટલાક ભેદભાવથી (દ્વૈતભાવ) અને કેટલીક જાતજાતના પ્રકારે મારી ઉપાસના કરે છે. (૯.૧૫)

બધું જ પરમાત્માનો વિસ્તાર છે

હું સોમયાગાદિ છું, હું વૈશ્વદેવ યજ્ઞ છું, પિતૃઓને અર્પણ કરાતું અન્ન હું છું, હું ઔષધ છું, હું મંત્ર છું, હું હોમવામાં આવતું ઘી છું, હું અગ્નિ છું અને હોમવાની ક્રિયા પણ હું જ છું. આ જગતનો પિતા, માતા, ધાતા અને પિતામહ પણ હું છું. વેદ વડે જાણવા યોગ્ય, પવિત્ર, ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યર્જુવેદ પણ હું છું. સર્વની કર્મફળરૂપ ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, મિત્ર, ઉત્પાદક, સંહારક, સ્થિતિ, આધાર તથા અવિનાશી બીજ પણ હું છું. (૯.૧૬−૧૮) હે અર્જુન! આ સંસારના હિત માટે હું જ સૂર્યરૂપે તપું છું, જળ એકત્ર કરું છું તથા વૃષ્ટિકર્તા હું છું, અમૃત તથા મૃત્યુ, સત્ અને અસત્ હું જ છું. (૯.૧૯)

અનન્ય પ્રેમ−ભક્તિથી મોક્ષપ્રાપ્તિ

ત્રણ વેદ જાણનારા તથા (ભક્તિરૂપી) સોમરસ પીનારા પાપરહિત મનુષ્યો મને પૂજી સ્વર્ગપ્રાપ્તિની ઈચ્છા કરે છે. તેઓ પુણ્યના ફળરૂપ ઇન્દ્રલોકને પામી સ્વર્ગમાં જઈ દેવતાઓના દિવ્ય દેહો મેળવી ભોગો પ્રાપ્ત કરે છે. (૯.૨૦) તે જીવો સ્વર્ગલોક ભોગવી, પુણ્યનો ક્ષય થાય છે ત્યારે ફરી મનુષ્યલોક પામે છે; એમ વેદ ધર્મનો આશ્રય કરનારા અને દિવ્ય ભોગોને ઈચ્છતા મનુષ્યો સંસારમાં આવ−જા કરે છે. (૯.૨૧) જે અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મારી ઉપાસના કરે છે, તે નિષ્કામ ભક્તો નિત્ય મારામાં તત્પર રહે છે તથા તેમના યોગક્ષેમનો ભાર હું ઉઠાવું છું. (૯.૨ર) હે કૌંતેય! જે ભક્તો શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓની ઉપાસના કરે છે, તેઓ પણ અવિધિપૂર્વક તો મને જ પૂજે છે. (૯.૨૩) ખરેખર સર્વ યજ્ઞોનો ભોક્તા અને ફળ આપનાર પરમાત્મા હું જ છું. આમ, જેઓ મને તત્ત્વથી જાણતા નથી; તેઓ બીજાને ઉપાસી જન્મ−મૃત્યુના ચક્રમાં પડે છે. (૯.૨૪) દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું પૂજન કરનારા પિતૃઓને પામે છે, ભૂત−પ્રેતનું પૂજન કરનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને જ પામે છે (અને તેમનો પુનર્જન્મ થતો નથી). (૯.૨પ) જે મને ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, પાણી વગેરે અર્પણ કરે છે, તે શુદ્ધ ચિત્તવાળાના ભક્તિપૂર્વક અર્પણ કરેલા પદાર્થો હું ગ્રહણ કરું છું. (૯.૨૬) હે કૌંતેય! તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, તે સર્વ મને અર્પણ કર. (૯.ર૭) એ રીતે પ્રભુને અર્પણ કરવાથી તું શુભાશુભ ફળવાળાં કર્મબંધનોથી મુક્ત થઈશ અને સંન્યાસ યોગવાળો બની સંપૂર્ણ મુક્ત થઈ મને પ્રાપ્ત કરીશ. (૯.૦૨૮)

કોઇ અક્ષમ્ય પાપી નથી

હું સર્વભૂતોમાં સમભાવમાં છું. મને કોઈ દ્વેષ કરવા યોગ્ય નથી કે પ્રિય નથી; તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે, તેઓ મારામાં છે અને હું તેઓમાં સ્થિત છું. (૯.૨૯) અત્યંત દુરાચારી પણ જો મને અનન્યભાવથી ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો, કારણ કે તે મારામાં ઉત્તમ નિશ્ચયવાળો થયો છે. (૯.૩૦) તે જલ્દી ધર્માત્મા થાય છે અને નિત્ય શાંતિ મેળવે છે. હે કૌંતેય! તું અવશ્ય સમજી લે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. (૯.૩૧)

ભક્તિમાર્ગ બીજા માર્ગો કરતાં સરળ

કેમ કે પાર્થ ગમે તેવા પાપકર્મી હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે શૂદ્રો હોય, પણ તેઓ શ્રદ્ધાથી મારો આશ્રય કરે તો તે પરમગતિ પ્રાપ્ત કરે છે. (૯.૩ર) તો પછી પુણ્યશાળી બાહ્મણો, ભક્તો તથા રાજર્ષિ પરમગતિ પામે એમાં વિસ્મય શું? ક્ષણભંગુર અને સુખરહિત આ લોકોને પામેલો, તું મને જ ભજ. (૯.૩૩) તું મારામાં ચિત્ત રાખ, મારો ભક્ત થા અને મને પૂજનારો થા અને મને નમસ્કાર કર. એ પ્રકારે મારામાં અંત:કરણને જોડી મારા પરાયણ થયેલો તું નિ:શંક મને જ પામીશ. (૯.૩૪)

ૐ તત્સદિતિ નવમોધ્યાય:

 

અધ્યાય−૧૦ વિભૂતિયોગ

 

પરમાત્મા બધી વસ્તુનું મૂળ છે

શ્રીભગવાન કહે છે હે અર્જુન મારા પરમ વચનને તું ફરી સાંભળ, જેને હું તારા જેવા અતિશય પ્રેમ રાખનારના હિત માટે કહીશ. (૧૦.૦૧) મારી ઉત્પત્તિને દેવતા, મહર્ષિ વગેરે કોઈ પણ જાણતા નથી, કારણ કે હું બધા દેવતાઓ તથા મહર્ષિઓનું પણ આદિ કારણ છું. (૧૦.૦૨) જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોના મહાન ઈશ્વર જાણે છે, તે મનુષ્યોમાં જ્ઞાની છે અને બધા પાપોમાંથી છૂટી જાય છે. (૧૦.૦૩) બુદ્ધિ, જ્ઞાન, મોહરહિત, ક્ષમા, સત્ય, ઈંદ્રિયનિગ્રહ, મનનો નિગ્રહ, સુખ, દુ:ખ, ઉત્પત્તિ, નાશ, પ્રલય, ભય, અભય, અહિંસા, સમભાવ (સમતા), સંતોષ, તપ, દાન, યશ, અપયશ વગેરે પ્રાણીઓના જુદા−જુદા પ્રકારના ભાવો મારામાંથી જ પ્રકટ થાય છે. (૧૦.૦૪−૦૫) સાત મહર્ષિ, એના પહેલાંના ચાર સનકાદિ અને ચૌદ મનુએ બધા મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે, જેમની સંસારમાં આ સારી (સઘળી) પ્રજા છે. (૧૦.૦૬) જે મનુષ્ય મારી આ વિભૂતિ અને યોગમાયાને તત્ત્વથી જાણે છે, તે અવિચળ ભક્તિયોગથી યુક્ત થઈ જાય છે, તેમાં કોઈપણ સંશય નથી. (૧૦.૦૭) હું જ સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ જગતનો વિકાસ થાય છે. એવું જાણી બુદ્ધિમાન ભક્તો શ્રદ્ધાપૂર્વક મને, પરમેશ્વરને જ ભજે છે. (૧૦.૦૮) મારામાં જ ચિત્તને સ્થિર રાખનાર અને મારી શરણમાં આવનાર ભક્તો પરસ્પર મારા ગુણ, પ્રભાવનું કથન કરતાં કરતાં નિરંતર સંતોષી રહીને રમ્યા કરે છે. (૧૦.૦૯)

પ્રભુ ભક્તોને જ્ઞાન આપે છે

નિરંતર મારા ધ્યાનમાં રહી પ્રેમપૂર્વક મારું ભજન કરનાર ભક્તોને હું તત્ત્વજ્ઞાન તથા વિવેક આપું છું, જેનાથી તે મને પામે છે. (૧૦.૧૦) એમના ઉપર કૃપા કરી એમના અંત:કરણમાં રહેનાર હું એમના અજ્ઞાનજનિત અંધકારને તત્ત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું. (૧૦.૧૧) અર્જુન કહે છે આપ પરમબ્રહ્મ, પરમધામ અને પરમપવિત્ર છો, આપ સનાતન દિવ્ય પુરુષ, આદિદેવ, અજન્મા અને સર્વવ્યાપી છો, એવું દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ વિગેરે સમસ્ત ઋષિજન તથા આપ પોતે પણ મને કહો છો. (૧૦.૧૨−૧૩)

બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ કોઇ જાણતું નથી

હે કેશવ, મને આપ જે કંઇ કહી રહ્યા છો એ સર્વને હું સત્ય માનું છું. હે ભગવાન, આપનું વાસ્તવિક સ્વરૂપ ન તો દેવતા જાણે છે અને ન તો દાનવ. (૧૦.૧૪) હે પ્રાણીઓને ઉત્પન્ન કરનાર, હે ભૂતેશ, હે દેવોના દેવ, જગતના સ્વામી, પુરુષોત્તમ, આપ પોતે જ આપને જાણો છો. (૧૦.૧૫) માટે આપની જે દિવ્ય વિભૂતિઓ કે જેનાથી આપ આ સકળ લોકોમાં વ્યાપી રહેલા છો તે સંપૂર્ણ રીતે વર્ણન કરવામાં આપ જ સમર્થ છો. (૧૦.૧૬) હે યોગેશ્વર, હું આપને નિરંતર ચિંતન કરતો કેવી રીતે જાણી શકું અને હે ગવન, કયા કયા ભાવો દ્વારા હું આપનું ચિંતન કરું? (૧૦.૧૭) હે જનાર્દન, તમો તમારી યોગશક્તિ અને વિભૂતિઓને ફરીથી વિસ્તારપૂર્વક કહો, કારણ કે તમારા અમૃત જેવાં વચનોને સાંભળીને તૃપ્તિ થતી નથી. (૧૦.૧૮)

સંપૂર્ણ સૃષ્ટિ પરબ્રહ્મનો વિસ્તાર છે

શ્રીભગવાન કહે છે હે કુરુશ્રેષ્ઠ! હવે હું મારી મુખ્ય દિવ્ય વિભૂતિઓને તારા માટે સંક્ષેપમાં કહીશ, કેમ કે મારા વિસ્તારનો તો અંત જ નથી. (૧૦.૧૯) હે અર્જુન, હું સર્વ પ્રાણીઓના અંત:કરણમાં (હૃદયમાં) રહેલો આત્મા છું તથા સર્વભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. (૧૦.૨૦) હું અદિતિના (બાર) પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં પ્રકાશમાન સૂર્ય છું, વાયુ દેવતાઓમાં મરીચિ અને નક્ષત્રોમાં ચંદ્ર છું. (૧૦.૨૧) હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઈન્દ્ર છું, ઇંદ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના છું. (૧૦.૨૨) હું રુદ્રોમાં શંકર છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનપતિ કુબેર છું, વસુઓમાં અગ્નિ અને પર્વતોમાં સુમેરુ પર્વત છું. (૧૦.૨૩) હે પાર્થ, મને પુરોહિતોમાં એના મુખ્ય બૃહસ્પતિ જાણ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. (૧૦.૨૪) હું મહર્ષિઓમાં ભૃગુ અને શબ્દોમાં કાર છું, હું યજ્ઞોમાં જપયજ્ઞ અને સ્થિર રહેનારમાં હિમાલય પર્વત છું. (૧૦.૨૫)

દૈવી વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્ણન

હું સર્વ વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. (૧૦.૨૬) હું અશ્વોમાં અમૃતની સાથે સમુદ્રમાંથી પ્રકટ થયેલા ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા, શસ્ત્રોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાનની ઉત્પત્તિ માટે કામદેવ અને સર્પોમાં વાસુકિ છું. (૧૦.૨૭−૨૮) હું નાગોમાં શેષનાગ, જળના દેવતાઓમાં વરૂણ, પિતૃઓમાં અર્યમા અને શાસન કરનારમાં યમરાજ, દિતિના વંશોમાં પ્રહલાદ, ગણના કરનારમાં સમય, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું. (૧૦.૨૯−૩૦) હું પવિત્ર કરનારમાં વાયુ છું અને શસ્ત્રધારીઓમાં રામ છું, જળચરોમાં મગર અને નદીઓમાં પવિત્ર ગંગા નદી છું. (૧૦.૩૧) હે અર્જુન, સારી સૃષ્ટિમાં આદિ, મધ્ય અને અંત પણ મારામાંથી જ થાય છે, હું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને વિવાદ કરનારનો તર્ક છું. (૧૦.૩૨) હું અક્ષરોમાં આકાર અને સમા&